હિંદૂ ઘર્મની માન્યતા રાખતા લોકોમાં શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે શિવલિંગમાં ભગવાન શિવશંકરનો વાસ હોય છે. કહેવાય છે કે શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના તમામ દુ:ખો દૂર કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરવાની એક ખાસ વિધિ છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ. માનવામાં આવે છે કે આ વિધિનું પાલન કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.
એક માન્યતા અનુસાર શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભગવાન શિવની કૃપા વરસે છે અને ભક્તોની ગરીબી દૂર થાય છે. જોકે આ પાછળ એક ખાસ વિધિ છે. વરસે છે અને ભક્તોની ગરીબી દૂર થાય છે. આજે વિસ્તારથી જાણીએ શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાની વિધિ અને તેની માન્યતા વિશે…
એક જાણીતા જ્યોતિર્વિદ અનુસાર જે વ્યકિત દેવામાં ડૂબી ગયો હોય તેણે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવો જોઇએ. શિવલિંગ પર રસ ચઢાવવતી વખતે ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો પણ જાપ કરતા રહેવું જોઈએ. આવું કરવાથી શિવજી તે ભક્તની તમામ આર્થિક મુશ્કેલીઓને દૂર કરે છે.
આ સિવાય તેમ પણ કહેવામાં આવે છે કે મંગળવારના દિવસે ઉધાર પૈસા લેવાનું ટાળવું જોઇએ અને લીધેલી લોનનો પહેલો હપ્તો મંગળવારના દિવસે ન ચૂકવવો જોઇએ. આવું કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને આ કારણથી આર્થિક નુકસાનનો સામનો કરવાનો વારો આવી શકે છે.
આ ઉપાયો સિવાય આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે દરરોજ પક્ષીઓને દાણા નાખવા જોઈએ. આનાથી ન માત્ર પક્ષીઓને ખાવા માટે અનાજ મળે છે પણ તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત થાય છે.