ભારતભરમાં ઘણી જગ્યાઓના નામોના રિપટેશનના કારણે, પિન કોડની જરૂરિયાત થવા લાગી હતી. સ્થાનો અને નામોના ડુપ્લિકેશનને કારણે પત્રો મોકલવામાં મુશ્કેલી પડતી હતી.
આઝાદીના 75 વર્ષની ઉજવણી
પોસ્ટલ પિન કોડને પુરા થયા 50 વર્ષ
જાણો શા માટે થઈ હતી તેની શરૂઆત
આજે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સ્વતંત્રતા દિવસ પર, ભારત વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી રહ્યું છે. હકીકતે, 'ઇન્ડિયા પોસ્ટ'નો પોસ્ટલ આઇડેન્ટિફિકેશન નંબર (PIN) જેનો ઉપયોગ દેશમાં પત્રો, કુરિયર્સ અને અન્ય ટપાલ સામાન મોકલવા માટે થાય છે તે આજે 50નું થઈ ગયું છે. તેની સ્થાપના અથવા એવું કહો કે તે 15 ઓગસ્ટ 1972 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ભીખાજી વેલણકર કેન્દ્રીય સંચાર મંત્રાલયમાં એડિશનલ સચિવ તરીકે કામ કરતા હતા અને ટપાલ અને ટેલિગ્રાફ બોર્ડના વરિષ્ઠ સભ્ય હતા. સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વેલંકર સંસ્કૃતના પ્રખ્યાત કવિ હતા. 1999માં મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
પિન કોડની જરૂર કેમ પડી?
મહત્વનું છે કે ભારતભરમાં અનેક સ્થળોના નામોના ડુપ્લિકેશનને કારણે પિન કોડની જરૂરિયાત શરૂ થઈ હતી. સ્થાનો અને નામોની ડુપ્લિકેશનને કારણે પત્રો મોકલવામાં મુશ્કેલી પડતી હતી. લોકો અલગ-અલગ ભાષાઓમાં એડ્રેસ પણ લખતા હતા, જેના કારણે એડ્રેસ ટ્રેસ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ કોડ સિસ્ટમની શરૂઆત પછી, તેનાથી પોસ્ટમેનને યોગ્ય લોકો સુધી પત્ર પહોંચાડવામાં મદદ મળી.
સમગ્ર દેશને 23 પોસ્ટલ સર્કલમાં વહેંચવામાં આવ્યો છે
જણાવી દઈએ કે પિન કોડનો પ્રથમ અંક ઝોનને અંગિત કરે છે. બીજો સબ-ઝોન સૂચવે છે અને ત્રીજો, પ્રથમ બે સાથે, તે ઝોનની અંદરના સોર્ટિંગ જિલ્લાને દર્શાવે છે. જ્યારે છેલ્લા ત્રણ અંકો જિલ્લાની અંદરની વ્યક્તિગત પોસ્ટ ઓફિસો દર્શાવે છે. ઈન્ડિયા પોસ્ટ અનુસાર, પોસ્ટલ સેવાઓ પૂરી પાડવા માટે સમગ્ર દેશને 23 પોસ્ટલ સર્કલમાં વહેંચવામાં આવ્યો છે. આમાંના દરેક સર્કલનું નેતૃત્વ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે.