દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના કારણે આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા બેઠક કરશે અને આ બેઠકમાં પ્રતિબંધો વધારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઓમિક્રોનને કારણે લોકોની ચિંતા વધી
વધતા કેસોને કારણે પ્રતિબંધો પણ વધવાની શક્યતા
સંક્રમણ કાબૂમાં લેવા લેવાઈ શકે છે મોટો નિર્ણય
કોરોનાના કેસ સતત દેશમાં વધતા જઈ રહ્યા છે. જેને લઈને આજે કેન્દ્રીય ગૃહ સચિવ આજે સમિક્ષા બેઠક કરશે. કોરોનાના વધતા કેસનો ધ્યાનમાં રાખીને અમુક પ્રતિબંધો ફરીથી લગાવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણકે ઘણા રાજ્યોમાં સ્થિતી હાલ ભયાનક થઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પરિસ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે.
Union Home Secretary Ajay Bhalla to hold a review meeting this evening over rising cases of COVID-19 in the country: Sources
મહારાષ્ટ્ર અને દિલ્હી બંને જગ્યાએ ઓમિક્રોન વેરિએન્ટના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેથી ગૃહ સચિવ અજય ભલ્લા આજે સાંજે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરવાના છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 90 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે.
મોતનો આંકડો 400 કરતા પણ ઓછો
જોકે આ બધા વચ્ચે એક રાહતની વાત એ છે કે કોરોના કેસનો વિસ્ફોટ વચ્ચે અત્યાર સુધી મોતનો આંકડો 400 કરતા પણ ઓછો જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા 10 દિવસમાં જે રીતે દેશમાં કેસ વધી રહ્યા છે તેના કારણે લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયેલો છે.
ઓમિક્રોનના વધતા કેસ ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ઓમિક્રોન વેરિએંટના કેસ પણ વધી રહ્યા છે. જે ખરેખરમાં સૌથી ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલા માટે છે કારણકે ઓમિક્રોન વેરિએંટ કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિએંટ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે.