હિન્દુ ધર્મમાં કારતક મહિનાને ખુબ પવિત્ર માનવામાં આવ્યો છે. આ જ મહિનામાં ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા.
કારતક મહિનાની પૂર્ણિમાનું મહત્વ
પૂજા કરવાથી મળશે જોરદાર લાભ
એક ઝાટકે બધી તકલીફો થઇ જશે દૂર
આ મહિનાની પૂનમનો પણ ખાસ મહિમા છે. કારતક માસની પૂનમનું વ્રત કરવા પર અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલુ ફળ મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. અપાર ધન પણ મળે છે.
6 તપસ્વિનીઓનું કરો પૂજન
કારતક પૂર્ણિમા પર ચન્દ્રોદયના સમયે 6 તપસ્વિનિઓ શિવા, સમ્ભૂતિ, પ્રીતિ, સંતતિ, અનસુયા અને ક્ષમાનું પૂજન કરવાથી ઘરમાં ખુબ ધન અને ધાન આવે છે. ધર્મ શાસ્ત્ર અનુસાર આ તપસ્વિનીઓ જ કાર્તિકની માતા છે.
દિપદાન કરો
કારતક પૂર્ણિમા પર ગંગા તટ પર દિપદાન કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી અને દીપદાન કરવાથી દરેક પ્રકારના સંકટ અને દેવાથી મુક્તિ મળે છે.
તુલસી પૂજા
કારતક મહિનામાં તુલસીની પૂજા અચુક કરો. આ મહિનામાં તુલસીનું પૂજન કરવાથી અનેકગણુ ફળ મળે છે. તે સિવાય ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પત્તાથી બનાયેલું તોરણ પણ લગાવવું જોઇએ.
દાન કરો
માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી 10 યજ્ઞ કરવા બરાબર ફળ મળે છે. પોતાના સામર્થ્ય અનુસાર અન્ન કે કપડા કે અન્ય કોઇ વસ્તુનુ દાન કરવું જોઇએ.