સુરતમાં કોરોનાનો કહેર વધુ વર્તાઈ રહ્યો છે. 236 લોકો રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત આવ્યા છે જ્યારે ફ્રન્ટલાઈનર વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે.
કોરોનાની લહેર, પોલીસકર્મીઓ પર કહેર
સુરત પોલીસના 65 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત
15 દિવસમાં 65 પોલીસકર્મી કોરોના સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સુરત પોલીસના 65 કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે ખટોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે. 15 દિવસમાં 65 પોલીસ કર્મી પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે ફરજ નિભાવે છે
236 લોકોએ વેક્સિન લીધી તો પણ થયા સંક્રમિત
સુરત શહેરમાં કોરોનાને લઇને સર્વે કરાયો હતો જેમાં છેલ્લા એક મહિનામાં 8959 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાંથી 8723 લોકોએ વેક્સિન લીધી ન હતી. 236માંથી 230 લોકોએ જ વેક્સિનનો એક ડોઝ લીધો હતો. જ્યારે 6 વ્યક્તિઓએ વેક્સિનના 2 ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે આ આંકડાથી તંત્રનું એવું માનવું છે કે, વેક્સિન લીધા બાદ સંક્રમણ ની શકયતા ઘટે છે એટલે મનપા હવે વેક્સીન ઉપર વધુ ધ્યાન આવશે જો કે વેક્સિન લેનાર માત્ર 236 લોકો આવ્યા કોરોના પોઝિટિવ આવ્યા હતા.