કેન્દ્ર સરકારના ત્રણ વટહુકમો સામે હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત ખેડૂત રેલી માટે રાજ્યભરના ખેડૂતોને રોકી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ એક થઇને વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે આજે હરિયાણાના કુરુક્ષેત્રના પીપળી ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં તે ખેડૂતોને રોકી શક્યા નહીં. પોલીસે અહીં લાઠીચાર્જ પણ કર્યો હતો.
Haryana: Farmers block National Highway 44 near Kurukshetra in protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet. pic.twitter.com/MCnOBKXrsI
1. પહેલાં કાયદા મુજબ, દરેક વેપારી ફક્ત મંડીમાંથી જ ખેડૂતનો પાક ખરીદી કરી શકતા હતાં. હવે વેપારીને આ કાયદા હેઠળ બજારની બહારથી પણ પાક ખરીદવાની છૂટ આપવામાં આવશે.
2. અનાજ, કઠોળ, ખાદ્યતેલો, ડુંગળી, બટાટા વગેરેને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેની સ્ટોક મર્યાદા નાબૂદ કરી દેવામાં આવી છે.
3. સરકાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે.
મહમના ધારાસભ્ય બલરાજ કુંડુએ ખેડૂતો માટે પ્રદર્શન કર્યું
આ બાજુ મહમના ધારાસભ્ય બલરાજ કુંડુએ ખેડૂતો માટે પ્રદર્શન કર્યું હતું અને પોલીસે તેમની અટકાયત કરી હતી. તેના ઘર અને કુંડુ ફાર્મમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જ્યારે સિરસામાં પોલીસે શ્રમિકો અને મજૂરોને નાકાબંધી કરીને અટકાવ્યા હતાં. સિરસાના દલાલો અને શ્રમિકોને કુરુક્ષેત્રના પીપળીમાં મહારેલીમાં પ્રવેશવાની મંજૂરી નહોતી અપાઈ. સિરસાથી ખેડુતો રેલી માટે રવાના થયા હતા પરંતુ પોલીસે તેમને ત્યાં જ રોકી લીધાં હતાં. પ્રદર્શનકારીઓએ હરિયાણા સરકાર પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવ્યો હતો.
ઉકલાનામાં દલાલ એસોસિએશનના વડા ધૂપીસિંહ બોથમને પોલીસે અટકાયતમાં લીધા હતા. પોલીસ સ્ટેશનથી ફોન પર વાત કરતા પ્રધાન ધૂપીસિંહે કહ્યું કે પોલીસે તેને કસ્ટડીમાં લીધા જેથી તે પીપળી ન જઈ શકે.