પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમે તમારા ઘરનુ સપનુ પૂર્ણ કરી શકો છો. જેના માટે તમારે આ યોજનામાં ઘર માટે અરજી કરવી પડશે.
પીએમ આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કરો ઓનલાઈન અરજી
આ 6 સ્ટેપ ભરી કરો અરજી, મળશે ઘરનુ ઘર
જાણો આ યોજના માટે લાયક ઉમેદવારો કોણ છે
પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારનું એક મિશન
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી ભારત સરકારનું એક ફ્લેગશિપ મિશન છે, જેને આવાસ અને શહેરી મામલાના મંત્રાલય તરફથી ચલાવવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 25 જૂન 2015ના રોજ કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત શહેરી ક્ષેત્રોમાં રહેઠાણની કમીને દૂર કરવામાં આવે છે. જેમાં યોગ્યતા ધરાવતા લોકોને ઘર આપવામાં આવે છે. આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ પાક્કા મકાન બનાવવામાં આવે છે.
ગ્રામીણ હાઉસિંગ ફૉર ઑલ મિશનની સાથે આ યોજના શરૂ કરાઈ
પીએમ આવાસ યોજના- ગ્રામીણ હાઉસિંગ ફૉર ઑલ મિશનની સાથે શરૂ કરવામાં આવી છે. સરકારે તેના માટે વર્ષ 2022નુ લક્ષ્ય નક્કી કર્યુ છે. આ યોજનાનો હેતુ માળખાગત સુવિધાઓની સાથે લોકોને પાક્કુ મકાન આપવાનો છે. જેમાં બેઘર પરિવારોને આર્થિક સહાયતા આપવામાં આવે છે. કાચી દિવાલ અને કાચા છતના ઘરમાં રહેતા લોકોને પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ સહાયતા પૂરી પાડવામાં આવે છે. એવા લોકો જે મહેનત, મજૂરી કરી પરિવારનુ પાલન-પોષણ કરે છે, તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, લઘુમતી વગેરે પરિવારો માટે આ યોજના મુખ્ય રીતે લાગુ કરવામાં આવી છે.
આ યોજના માટે લાયક અરજદારો કોણ છે?
એવા અરજદારો જેની પાસે બે પૈડાવાળા, ત્રણ પૈડાવાળા અથવા ચાર પૈડાવાળી કાર હોય. જેની પાસે ખેતી માટે ટ્રેકટર અથવા ફિશિંગ બોટ હોય. તેમને આ યોજના માટે લાયક માનવામાં આવે છે. એવા અરજદાર જેની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય, જેની લિમિટ 50,000 રૂપિયાની બરાબર હોય અથવા તેનાથી વધુ હોય. તેમને લાયક શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યાં છે. એવા પરિવાર જેમાં ઓછામાં ઓછો એક સભ્ય સરકારી નોકરીમાં હોય અથવા જેની કમાણી 10,000 રૂપિયાથી વધુ હોય તેવા લોકો આ યોજનાના દાયરામાં આવતા નથી.
કેવીરીતે કરશો ઓનલાઈન અરજી?
સૌથી પહેલા એવી કેટેગરી (એમઆઈજી, એલઆઈજી વગેરે)ની ઓળખ કરો, જે હેઠળ તમે PMAY માટે અરજી કરી શકો છો.