મોદી સરકારની આ યોજનાનુ નામ PM સ્વનિધિ યોજના છે. પીએમ સ્વનિધિ યોજનાનો અર્થ અહીં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ સાથે છે.
લારીવાળા માટે કેન્દ્ર સરકારનો નવો પ્લાન
PM સ્વનિધિ યોજના હેઠળ થશે કાયાકલ્પ
લોનની મદદથી પોતાના વેપારને વધારી શકશે
હવે લારીવાળાઓને થશે ફાયદો
દેશમાં શેરી વિક્રેતાઓ માટે સારા સમાચાર આવ્યાં છે. હવે તેઓ સરળતાથી લોનની મદદથી પોતાના વેપારને વધારી શકે છે. મોદી સરકાર આ લોકોની મદદ માટે એક યોજના રજૂ કરી રહી છે. મોદી સરકારની આ સ્કીમનુ નામ PM સ્વનિધિ યોજના છે. આ કેન્દ્ર સરકારની સ્કીમ છે, જેને જૂન 2020માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમનો હેતુ કોવિડ-19 મહામારીથી પ્રભાવિત લારીવાળાઓને લોનની સુવિધા આપવાનો છે. આ લોનની મદદથી તેઓ પોતાનો વેપાર શરૂ કરી શકે છે.
સ્કીમના ફીચર્સ
PM સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની યોજના છે.
આ યોજના હેઠળ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને ટકાઉ વર્કિગ કેપિટલ લોનની સુવિધા આપવામાં આવે છે. આ લોનની મદદથી લારીવાળા પોતાનો વેપાર વધારી શકે છે.
આ યોજનાને પહેલા માર્ચ 2022 સુધી લાાગુ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એપ્રિલ 2022માં તેને ડિસેમ્બર 2024 સુધી વધારી દેવામાં આવી છે.
આ સ્કીમમાં લારીવાળાને એક વર્ષના સમયગાળા માટે 10,000 રૂપિયાની પ્રારંભિક લોન આપવામાં આવશે.
આ સ્કીમ હેઠળ લારીવાળાને જલ્દી અથવા સમયસર લોન ચૂકવવાથી 7 ટકા પર વ્યાજ સબસિડીનો ફાયદો પણ મળે છે.
જેમાં ડિજિટલ ચૂકવણી પર માસિક કેશ બેક ઈન્સેટિવ પણ મળે છે.
માસિક કેશબેક 50 થી લઇને 100 રૂપિયા સુધી હોય છે.
જો વ્યક્તિ આ યોજના હેઠળ મળેલ પહેલી લોનને સમયસર ચૂકવે છે તો તેને વધુ રકમની લોન મળવાની શક્યતા વધી જાય છે.
આ સ્કીમ હેઠળ લારીવાળાને લોન લેવા માટે કોઈ કોલેટરલ સિક્યોરિટી અથવા કોઈ વસ્તુને ગિરવી રાખવાાની જરૂર પડતી નથી.
સરકારનુ અનુમાન છે કે તેમની આ યોજનાથી આશરે 50 લાખ લારીવાળાઓને ફાયદો થશે.