કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે (બુધવાર) સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress' Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn
સોનિયા ગાંધી થયા આઇસોલેટ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે ત્યાર બાદ ED ની ઇન્ક્વાયરીમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય એટલે એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછમાં તેમણે હાજર રહેવાનું છે. હાલ તેઓ આઇસોલેટ થયા છે. ત્યાં સુધીમાં તબિયત સારી થઈ જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતમાં વધી રહ્યાં છે કોરોના કેસ
ભારતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધવા લાગ્યો છે. સતત ઘટી રહેલા કેસ હવે ફરીથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તો સતત બે હજારથી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમ આજે કેસનો આંકડો 3 હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,712 નવા કેસ નોંધાયા છે.
કેસમાં 35 ટકાનો ઉછાળો
આ સાથે નવા કેસોમાં 35.2 ટકાનો ઉછાળો આવ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12,44,298 લોકોને કોરોના સામે રક્ષણ માટે રસી આપવામાં આવી છે, જેના કારણે દેશમાં રસીકરણની સંખ્યા 1,93,70,51,104 પર પહોંચી ગઈ છે.