કોરોના વાયરસના ફેલાતા ચેપની વચ્ચે, પ્રધાનમંત્રી મોદીએ આજે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 8 વાગ્યે કરેલ સંબોધનમાં આગામી 3 અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી દેશમાં લૉકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે. દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત
PM મોદીએ લોકોને ન ગભરાવાની કરી અપીલ
કોઇપણ જરૂરી ચીજવસ્તુની નહીં સર્જાય અછત: PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું કે મારા દેશવાસીઓ, ગભરાવાની જરૂર નથી, જરૂરી સેવાઓ, દવાઓ વગેરે ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર અને તમામ રાજ્ય સરકાર એકસાથે મળીને કામ કરે જેથી જરૂરીયાત મુજબની ચીજ મળતી રહે. આપણે લોકો એક સાથે મળીને કોવિડ-19 વિરૂદ્ધ લડીશું અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીશું. જય હિંદ.
My fellow citizens,
THERE IS ABSOLUTELY NO NEED TO PANIC.
Essential commodities, medicines etc. would be available. Centre and various state governments will work in close coordination to ensure this.
Together, we will fight COVID-19 and create a healthier India.
પ્રધાનમંત્રીએ લોકોને ચેતવણી આપી હતી કે તેઓ દુકાનોની આજુબાજુ જમા થઇને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. તેમણે કહ્યું કે આનાથી કોવિડ -19 ના ફેલાવાનું જોખમ વધશે.
કોઇપણ જરૂરી ચીજવસ્તુની નહીં સર્જાય અછત: PM મોદી
નરેન્દ્ર મોદીએ અફવાના આધારે ખરીદી કરતા લોકોને કહ્યું હતું કે દેશમાં કોઈ પણ જરૂરી ચીજવસ્તુની કોઈ કમી રહેશે નહીં. પીએમે કહ્યું કે કૃપા કરીને લોકો ઘરોની અંદર જ રહે. તેમણે કહ્યું કે તેઓ પુનરાવર્તન કરવા માગે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખાતરી કરશે કે બજારમાં જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે.
શું છે લોકડાઉન?
લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે. સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.
લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે.