વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને કર્યુ સંબોધન. પોતાના દુઃખની લાગણી દેશવાસીઓ સામે કરી વ્યક્ત
પીએમ મોદીએ દેશવાસીઓને કરી મહત્વની અપીલ
નારી સન્માનને લઇને કહી આ ખાસ વાત
લાલ કિલ્લા ખાતે સંબોધન દરમિયાન પીએમ મોદી થયા ભાવુક
પીએમ મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ખાતે આઝાદીના 75 વર્ષ પુરા થતા તિરંગો લહેરાવીને ઉજવણી કરી. આ પછી તેમણે દેશને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશની આઝાદી માટે લડનારા, બલિદાન આપનારા, મહાપુરુષોને નમન કર્યા. પાંચ સંકલ્પો, ભ્રષ્ટાચાર, લોકશાહી, ભારતના સપના, પરિવારવાદ સહિત અનેક વિષયો પર દેશવાસીઓને સંબોધન કર્યુ. જેમાં એક મહત્વની વાત હતી નારીનું સન્માન. જી, હા પીએમ મોદી આ અંગે સંબોધન કરતા ભાવુક થઇ ગયા હતા.
પીએમ મોદીનું લાલ કિલ્લાએથી છલકાયુ દર્દ
પીએમ મોદીએ લાલ કિલ્લા ખાતે સંબોધન દરમિયાન એક દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે મારી એક પીડા છે. મારુ એક દુઃખ છે. જે હું દેશવાસીઓને નહીં કહુ તો કોની આગળ કહીશ. તેઓએ કહ્યું કોઇને કોઇ કારણોસર આપણામાં એવી વિકૃતિ આવી છે જે બોલચાલીમાં,આપણા વ્યવહારમાં, કેટલાક શબ્દોમાં, આપણે નારીનું અપમાન કરીએ છીએ. આપણે સ્વભાવથી, સંસ્કારથી , રોજબરોજની જિંદગીમાં નારીને અપમાનિત કરનારી દરેક વાતોથી મુક્તિનો સંકલ્પ લઇ શકીએ છીએ. નારીનું ગૌરવ રાષ્ટ્રના સપનાને પુરુ કરવામાં મોટી મૂડી બનશે. આ સામર્થ્ય હું દેશવાસીઓમાં જોઇ રહ્યો છું.
76મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશને એક નવા નારાની ભેટ આપી. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, અને જય કિસાનનો નારો આપ્યો હતો ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન શબ્દ જોડ્યો હતો અને હવે પીએમ મોદીએ તેમાં જય અનુસંધાન શબ્દ જોડ્યો હતો. પીએમ મોદીએ દેશને નારો આપ્યો, તેમણે કહ્યું કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન.
We always remember Lal Bahadur Shastri ji's slogan of 'Jai Jawan, Jai Kisan'. Later, AB Vajpayee added 'Jai Vigyaan' to this slogan. Now, there is another necessity to add - 'Jai Anusandhan' (research & innovation). Jai Jawan, Jai Kisan, Jai Vigyaan aur Jai Anusandhan: PM Modi pic.twitter.com/fQgljfzJ3W
1. વિકસિત ભારત - હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.
2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ.
3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.
4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.
5. સંકલ્પો સાકાર કરવા- પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત નથી.