પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી 130 દેશના NGOને સંબોધન કરશે.
PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે
17 ફેબ્રુઆરીએ PM મોદી ગુજરાત આવશે
મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. તાજેતરમાં જ તેમના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા હતા અને માતાના આશિર્વાદ લઇને પક્ષના પદાધિકારીઓ અને સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
130 સામાજીક સંસ્થાને ઉદબોધન કરશે
ત્યારે આજરોજ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ પાટનગર ગાંધીનગર ખાતે 130 સામાજીક સંસ્થાને ઉદબોધન કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફેબ્રુઆરીમાં ભારત આવે તેવી સંભાવના
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે, તેમની મુલાકાત માટેની તારીખોની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉમેદવાર છે.