પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે તેઓ ગુજરાત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી મા હીરાબા, મા નર્મદા અને મા ગંગાના લેશે આશીર્વાદ
સરદાર સરોવર ડેમ ઐતિહાસિક 138 મીટરની સપાટી પર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે રાજભવન ખાતે રવાના થયા હતા. તેઓ આવતીકાલે 17 સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. જ્યારબાદ તેઓ નર્મદા નીરના વધામણા કરશે.
The Prime Minister landed in Ahmedabad a short while ago.
પીએમ મોદી પોતાના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરે સૌ પ્રથમ માતા હીરાબાના આશીર્વાદ લેશે. જે બાદ સવારે આઠ વાગ્યે કેવડિયા કોલોની પહોંચીને નર્મદાની પૂજા કરશે.
રાજ્ય સરકારના નમામી દેવી નર્મદે કાર્યક્રમ આપશે હાજરી
નર્મદા ડેમ પ્રથમવાર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમની 138.68 સપાટી પહોંચી છે. ત્યારે નર્મદા ડેમને લાઈટિંગથી સજાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલ મંગળવારે નર્મદા ડેમની મુલાકાત લેશે. પીએમ મોદી વ્યૂ પોઇન્ટ નંબર-1 પરથી જાહેરસભાને સંબોધશે. જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાંથી જનમેદની ઉમટી પડશે. તો નર્મદાના 10 હજાર લોકો જાહેર સભામાં હાજર રહેશે. બપોર 12 સુધી નર્મદા ડેમ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ચાલુ રહેશે. પ્રવાસીઓ સભામાં ભાગ લઇ શકશે.
કરશે મા નર્મદાના નીરના વધામણા
રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે.
એક જ દિવસમાં ત્રણ માતાના દર્શન
કાલે એક જ દિવસમાં ત્રણ મૈયાના આશીર્વાદ લેશે. વહેલી સવારે તેઓ ગાંધીનગરમાં તેમના માતા હીરાબાના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરશે. ત્યાંથી તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ જશે. જ્યાં તેઓ નર્મદા મૈયાનું પૂજન કરીને આશીર્વાદ મેળવશે. આ કાર્યક્રમ બાદ તેઓ સીધા તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી જશે. જ્યાં તેઓ ગંગા મૈયાની પૂજા અર્ચના કરીને ગંગા મૈયાના આશીર્વાદ લેશે.
જંગી જાહેરસભાનું સંબોધન
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂ પોઇન્ટ 1 પર જાહેર સભા સંબોધશે. જેના માટે 450x150 મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના લોકો અંદાજીત 10 હજારથી વધુ લોકો ની હાજરીમાં પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે.
2017માં હાજર 101 પૂજારીઓ પણ આજે હાજર રહેશે
આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમની મુલાકાત લઈ વધામણા કરશે અને નર્મદા મૈયાનું પૂજન કરવાના છે. 101 મહારાજ નર્મદા ડેમની પૂજા કરશે. 2017માં દરવાજા લાગ્યા હતા ત્યારે પણ આ પૂજારીઓ પ્રધાનમંત્રી સાથે પૂજા અર્ચના કરી હતી.