વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે તે રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસના ભાગ રૂપે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે.
બુધવારે પીએમ મોદીએ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને આજે પણ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીએ ગુરુવારે સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આજે પીએમ મોદી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં સામેલ થયા. આ ઉપરાંત એમણે બિઝનેસ પવેલિયનનો પણ પ્રવાસ કર્યો.
પીએમ મોદીએ આ દરમિયાન રશિયાના પૂર્વી ભાગના તમામ 11 ગવર્નરોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત અને રશિયાના સંબંધ ઐતિહાસિક છે. ભારત અને રશિયા મળીને સ્પેસની દુરી પાર કરશે અને સમુદ્રની ઉંડાઇ માપશે. એમણે કહ્યું કે જલ્દી જ ચૈન્નઇ અને વ્લાદિવોસ્તોક વચ્ચે શિપ ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી સરકાર એક્ટ ઇસ્ટ મિશન પર કામ કરી રહી છે. ભારત અને રશિયા વચ્ચે લગભગ 50થી વધારે સમજુતી થઇ છે. ભારત પ્રકૃત્તિને બચાવવા માટે ઘણા પગલા ઉઠાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વી ભાગમાં વિકાસ માટે ભારત 1 બિલિયન ડોલરનું લાઇન ઓફ ક્રેડિટ આપશે.
EEF કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વ્લાદિમીર પુતિનની રશિયાના આ ભાગ માટે રુચી વધારે છે, જે એમની નીતિમાં જોવા મળે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત રશિયા સાથે મળીને ચાલવા માંગે છે. ભારતમાં અમે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની સાથે આગળ વધી રહ્યા છીએ, 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલર બનાવવા માટે આગળ વધી રહ્યા છે.
ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને આ કાર્યક્રમ માટે ભારતમાં ચૂંટણી પહેલા આમંત્રણ આપ્યું હતું. 130 કરોડ લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મને રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાની પ્રતિભા જાણવાની તક મળી, જેણે મને પ્રભાવિત કર્યા છે. ભારત પહેલો દેશ છે જેણે અહીં પોતાનું દુતાવાસ ખોલ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોવિયત રશિયાના સમયે પણ ભારત-રશિયાના સંબંધો મજબૂત હતા. વ્લાદિવોસ્તોક બંને દેશો માટે મહત્વપૂર્ણ સ્થાન છે.