ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત થયા છે.
દેશમાં વરસાદની સાથે આકાશી આફત
ત્રણ રાજ્યોમાં કાળ બનીને પડી વીજળી
પીએમ મોદીએ વળતર જાહેર કર્યું
દેશમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જોકે વરસાદ ભારતના કેટલાય પરિવારો પર દુ:ખનો પહાડ બનીને તૂટયો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે અને અત્યાર સુધીમાં 75 લોકોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.
PM મોદીએ કરી જાહેરાત
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે તથા સાથે સાથે વળતર આપવાનું એલાન કર્યું છે. પ્રાધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.
યૂપીમાં ક્યાં કેટલા મોત
યૂપીના પ્રયાગરાજમાં કુલ 14 મોત, દેહાત અને ફતેહપુરમાં 5 મોત, કૌશાંબીમાં 4 મોત, ફિરોઝાબાદમાં 3 મોત, ઉન્નાવ-હમીરપુર- સોનભદ્રામાં 2 - મોત અને કાનપુરના પ્રતાપગઢ, હરદોઈ અને મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. આ સિવાય 22 લોકો ફસાયા છે અને 200થી વધુ મવેશિયોના મોત પણ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાલ સહાયતા રકમ જાહેર કરવાના આદેશ આપ્યા છે. રવિવારે અહીં સ્થિતિ ખરાબ થતા અનેક જગ્યાએ વીજળી પડવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
જયપુરમાં સેલ્ફી લેતી વખતે વીજળી પડતા 11 લોકોના મોત
જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે.
મધ્યપ્રદેશમાં 7 લોકોના મોત
અહીં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. શ્યોપુર અને ગ્વાલિયરમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે, તો આ સિવાય શિવપુરી, અનુપપૂર અને બૈતૂલમાં એક એક મોતના સમાચાર મળી રહ્યા છે.