અયોધ્યા ચુકાદાને દેશભરમાંથી આવકાર મળી રહ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદી, આરએસએસ, મુસ્લિમ લો બોર્ડ સહિતના લોકોએ પોત પોતાની પ્રતિક્રિયા આપી હતી. મોટે ભાગે લોકોએ સુપ્રીમ અદાલતના આ ફેસલાને આવકારી લીધો છે.
The Honourable Supreme Court has given its verdict on the Ayodhya issue. This verdict shouldn’t be seen as a win or loss for anybody.
Be it Ram Bhakti or Rahim Bhakti, it is imperative that we strengthen the spirit of Rashtra Bhakti.
સુપ્રીમકોર્ટના ચુકાદા પર PM મોદીનું ટ્વિટ
દેશની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા પર ચુકાદો આપ્યો. ચુકાદાને કોઇની હાર કે જીતના રૂપમાં ન જોવામાં આવે. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય ભારતભક્તિનો છે. PMની દેશવાસીઓને શાંતિ, સદભાવ જાળવી રાખવા અપીલ છે. SCનો આ નિર્ણય અનેક કારણોથી મહત્વનો છે. કોઇપણ વિવાદ ઉકેલવા કાયદાકીય પ્રક્રિયા મહત્વની છે. તમામ પક્ષને દલીલો મુકવા યોગ્ય સમય અપાયો હતો. ન્યાયના મંદિરે દશકો જુના મામલાનું સુખદ સમાધાન આપ્યુ છે.
શું કહ્યુ શ્રી શ્રી રવિશંકરે
શ્રી શ્રી રવિશંકરે જણાવ્યુ હતુ કે, આ એક ઐતિહાસીક ચુકાદો છે. છેલ્લા કેટલાય સૈકાઓથી ચાલી રહેલો કેસ આખરે તેના નિષ્કર્ષ સુધી પહોંચ્યો હતો. આ ચુકાદા વખતે ખરેખર દેશવાસીઓ વધાવી લેવો જોઈએ અને શાંતી અને સૌહાર્દ બનાવી રાખવું જોઈએ.
Sri Sri Ravishankar: This is a historic judgement, I welcome it. This case was going on for a long time and finally it has reached a conclusion. Peace and harmony should be maintained in society. #AyodhyaJudgmentpic.twitter.com/Iifnmfnovg
ગૃહપ્રધાન અમિત શાહે કરી બેઠક
અયોધ્યા ચુકાદા પહેલા અમિત શાહના ઘરે બેઠક યોજાઈ હતી. ચુકાદા બાદ અમિત શાહે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો હતો અને દેશમાં શાંતી જાળવી રાખવાની અપીલ કરી હતી.
RSS ચીફ મોહન ભાગવતની પત્રકાર પરિષદ
RSS ન્યાયપૂર્ણ ચુકાદાનું સ્વાગત કરે છે. RSS સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વાગત કરે છે. તમામ પાસાઓનું ઝીણવટ ભર્યુ અવલોકન થયું છે. ધૈર્ય સાથે સુનાવણી કરાઇ છે.
મુસ્લિમ નેતાઓએ શું આપ્યો નિવેદન
અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદાને લઇ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પ્રતિક્રિયા આપી. વસીમ રિઝવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. સુપ્રીમ કોર્ટે જમીન આપવાની વાત કરી છે તેના પર વિચાર કરવામાં આવશે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ લો બોર્ડના કમાલ ફારૂકે આ ચુકાદા અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, બાબરીને બદલે અમને 100 એકર જમીન આપો તો પણ શું કામની? 67 એકર જમીનતો પહેલેથી જ હડપી લીધી છે તો હવે અમને શું ભીખ આપો છો? 67 એકરને બદલે 5 એકર જમીન એ કંઈ ન્યાય છે?