ગાંધીનગર: PM મોદી આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતમાં યોજાનારા બે કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે.
PM મોદી 23 ઓગસ્ટે સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પહોચશે. ત્યારબાદ વિવિધ સ્થળોએ કાર્યક્રમ પૂર્ણ કરીને આશરે બપોરના 3 વાગ્યા બાદ ગાંધીનગરમાં આગમન થશે. PM મોદી રાજભવનમાં 30 મિનીટ રોકાશે. રાજભવનની મુલાકાત બાદ FSLના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરમાં FSLનાં કાર્યક્રમ બાદ મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ હાજરી આપશે. બાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે પણ વડાપ્રધાન મોદી ચર્ચા કરી શકે છે. તો આગામી ચૂંટણીને લઇને ગુજરાત ભાજપમાં શું તૈયારીઓ કરવામાં આવેલ છે તે અંગેની જાણકારી પણ મેળવી શકે. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે જેને પગલે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.