પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા ચરણનું મતદાન ચાલુ છે, અને પીએમ મોદીએ આજે એક નહીં પણ બે બે રેલીઓને સંબોધિત કરી હતી.
બંગાળમાં પીએમ મોદીએ કર્યું સંબોધન
મમતા બેનરજી ઉપર સાધ્યું નિશાન
પીએમ મોદીએ બે રેલીપણે કર્યું સંબોધન
મહત્વનું છે કે બંગાળમાં આજે બીજા ચરણનું વોટિંગ ચાલી રહ્યું છે, અને પીએમ મોદીએ આજે ઉલૂબેડીયા અને એક અન્ય સ્થાને રેલીને ભાષણ કર્યું હતું. જેને લઈને બંગાળ સીએમ મમતા બેનરજીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે એક બાજુ ચૂંટણી ચાલુ છે, ત્યારે પીએમ મોદી આવી રીતે કઈ રીતે ભાષણ કરી શકે છે? આ મુદ્દે ચૂંટણી પંચની કામગીરીના મુદ્દે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
દીદી પર સાધ્યું નિશાન
જો કે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મમતા બેનરજી પર જોરદાર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જે બંગાળની ધરતીએ જય હિન્દનો નારો આપ્યો, જેણે વંદે માતરમનો ઉદઘોષ કર્યો, તે પવિત્ર ધરતી પર મમતા દીદીની આટલી સંકીર્ણ વિચારધારા કેમ છે!
પીએમ મોદીના સંબોધનની પ્રમુખ વાતો
1. આ માત્ર સત્તા પરિવર્તન નહીં, પણ અસલ પરિવર્તન લાવવાનું મહાયજ્ઞ છે, આ બંગાળની આકાંક્ષાઓની ચૂંટણી છે.
2. ખેડૂતો માટે દીદીનું શું વિઝન છે? પીએમ કિસાન નિધિને રોકવું, હેલ્થ સેક્ટર માટે દીદીનું શું વિઝન છે? આયુષમાન યોજના પર રોક લગાડવી.
3. અર્બન પ્લાનિંગ માટે દીદીનું શું વિઝન છે? રેરા કાયદા પર રોક લગાવવી! હાઉસિંગ માટે દીદીનું શું વિઝન છે! સુરક્ષિત પાણી માટે દીદીનું શું વિઝન છે? હર ઘર જલ મિશનને રોકવી
4. બંગાળના પ્રતિભાશાળી લોકોએ દુનિયાને દિશા દેખાડી છે? દરેક ક્ષેત્રમાં દિશા દેખાડી છે? આના માટે દીદીનું શું વિઝન છે.
ભાજપ એ પાર્ટી છે જેણે બંગાળના સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીના સંકલ્પો સાથે જોડાયેલી છે અને જે તિરંગા માટે ડોક્ટરે બલિદાન આપ્યું, તેને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભાજપ શાનપથી ફરકાવી રહી છે.