નોટબંધીના મોદી સરકારના નિર્ણયને ગઈકાલે રવિવારે 4 વર્ષ પૂરા થયા છે. સરકારના આ પગલાંથી બ્લેક મનીને ઘટાડવામાં મદદ મળી છે. પીએમ મોદીનું માનવું છે કે નોટબંધીના કારણે ટેક્સમાં પણ પારદર્શિતા આવી છે.
નોટબંધીને ગઈકાલે 4 વર્ષ થયા પૂરા
પીએમ મોદી અને નાણામંત્રીએ નિર્ણયને સકારાત્મક ગણાવ્યો
વિપક્ષ સતત નોટબંધીના નિર્ણયને ખોટો ઠેરવી રહ્યું છે. આજે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધીના નિર્ણયની આલોચના કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે નોટબંધીના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ચોપટ થઈ ચૂકી છે.
नोटबंदी PM की सोची समझी चाल थी ताकि आम जनता के पैसे से ‘मोदी-मित्र’ पूँजीपतियों का लाखों करोड़ रुपय क़र्ज़ माफ़ किया जा सके।
ग़लतफ़हमी में मत रहिए- ग़लती हुई नहीं, जानबूझकर की गयी थी।
પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે નોટબંધીથી કાળા ધન પર અંકુશ લાગ્યો છે અને ટેક્સ સંગ્રહ વધ્યો છે. આ સિવાય પારદર્શિતામાં પણ વધારો થયો છે.પીએમ મોદીએ હૈશટેગ DeMolishing Corruptionનો પણ ઉપયોગ કર્યો અને કહ્યું કે નોટબંધીના પરિણામ રાષ્ટ્રીય પ્રગતિ માટે ફાયદારૂપ રહેશે. નોટબંધીએ ટેક્સ સંગ્રહના પગલે મોટું કામ કર્યું છે.
Demonetisation has helped reduce black money, increase tax compliance and formalization and given a boost to transparency.
નાણામંત્રીએ કહ્યું ડિજિટલ ઈકોનોમીને મોટી તાકાત મળી છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટમાં લખ્યું કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં 4 વર્ષ પહેલાં લેવાયેલા નિર્ણયથી બ્લેક મની પર અંકુશ લાગ્યો છે. સાથે ડિજિટલ ઈકોનોમીને પણ વેગ મળ્યો છે. તે એક મોટી તાકાત સાબિત થયું છે. તેઓએ કહ્યું કે નોટબંધીથી ફક્ત પારદર્શિતા આવી નથી પણ ટેક્સ બેઝ વધ્યો છે. નકલી નોટ અને તેના પ્રસાર પર અંકુશ લગાવવામાં પણ મોટી મદદ મળી છે.
To fulfill its promise of freeing India from corruption, the Modi govt implemented Demonetisation 4 years ago on this day, today. The move that was an unprecedented attack on Black Money also led to better tax compliance and a major push to digital economy. #DeMolishingCorruption
ભાજપના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર શેર થઈ આ ટ્વિટ
તેમાં કહેવાયું કે નોટબંધીનો નિર્ણય રિયલ એસ્ટેટ માટે વરદાન રૂપ સાબિત થયો. રિયલ એસ્ટેટ ક્ષેત્ર બ્લેક મનીના ટ્રાન્ઝેક્શન માટે સરળ રસ્તો બન્યો છે. નોટબંધી બાદ રિયલ એસ્ટેટ સેક્ટર હવે વધારે પારદર્શી, સંગઠિત અને ભરોસાપાત્ર અને ખરીદદારો માટે અનુકૂળ સાબિત થયું છે.
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે રાતે 8 વાગે પીએમ મોદીએ અચાનક 800 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને સાથએ જ 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી દીધઈ હતી.