બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ ગત બુધવારે તેમના ઈન્ટરવ્યુમાં અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની જોડીને લઈને જવાબ આપ્યો. જેમા તેમણે કહ્યું કે તે બંનેનો ખેલ મે પહેલા પણ જોયો હતો. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદન અને રાહુલગાંધીની જોડી તરફ ઈશારો કરતા કહ્યું કે તેમનો ઘમંડ એટલો હતો કે ગુજરાતના બે ગધેડા આ શબ્દનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો. જોકે ઉત્તરપ્રદેશે તેમને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.
.jpg)
ADVERTISEMENT
2017ની ચૂંટણી રેલીમાં અખિલેશ યાદવે શબ્દો વાપર્યા હતા
આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદવે ગુજરાત ના ગધેડા આ શબ્દો ચૂંટણીની રેલીમાં વાપર્યા હતા. જેમા તેમણે પીએમ મોદી પર નિશાન સાંધ્યુ હતું. જે મામલે પીએમ મોદીએ એવું કહ્યું હતું કે ગધેડાઓથી પ્રેરણા લઈને મહેનત કરો. સાથેજ પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. તે સમયે સપા અને કોંગ્રેસનું ગઠબંધન 54 સીટોમાં સમાપ્ત થઈ ગયું હતું જોકે ભાજપે પહેલી વાર 300 સીટો જીતી હતી.
ADVERTISEMENT
.jpg)
ગુજરાતનો ગધેડા શબ્દનો પ્રયોગ
ADVERTISEMENT
અખિલેશ યાદવે એવું કહ્યું હતું કે અમારા સાથીઓએ ટીવી પર જોયું હશે કે ગધેડાની જાહેરાત આવે છે. સાથેજ તેમણે કહ્યું હતું કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કહીશું કે તમે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર ન કરો.
.jpg)
ADVERTISEMENT
પીએમ મોદીએ આપ્યો હતો સણસણતો જવાબ
પીએમ મોદીએ અખિલેશના આ નિવેદનને મુદ્દો બનાવી દીધો હતો. તેઓ દરેક રેલીઓમાં તેમના પર પ્રહાર કરતા હતા જેથી અખિલેશ યાદવને ઘણું નુકશાન થયું હતું. પીએમ મોદીએ કહ્યું કે અખિલેશ યાદવને ખબર નથી કે ગધેડા પણ આપણાને પ્રેરણા આપે છે. જેથી મગજ સાફ હોય તો પ્રેરણા લઈ શકાય છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે ગધેડા પણ તેના માલિકના વફાદાર હોય છે.
ADVERTISEMENT
.jpg)
ગુજરાત ટુરિઝમની જાહેરાતને લઈને શબ્દો વાપર્યા હતા
ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરૂઆત ગુજરાત ટુરિઝમની એક જાહેરાત વખતે થઈ હતી. જેમા અમિતાભ બચ્ચન કચ્છના રણમાં જંગલી ગધેડાઓ વીશે કહેતા હતા. તેઓ તે ગધેડાઓના વખાણ કરીને પર્યટકોને ગુજરાત આવવા કહે છે. જેથી અખિલેશ યાદવે આ જાહેરાતને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.