ભાજપની પ્રચંડ જીતથી આ કાર્યક્રમની ભવ્યતાના અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીના નિર્દેશો અનુસાર આ સમારોહને સાદગીપૂર્ણ અને ગંભીર રૂપ આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મેજબાની કરનાર છે. પ્રસંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીનો બીજી વખત શપથ ગ્રહણ સમારોહનો. આ કાર્યક્રમમાં 5000 6000 લોકોની હાજરી રહે એવી શક્યતા છે. પીએમ મોદીની સાથે એમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.
ભાજપની પ્રચંડ જીત બાદ આ સમારોહ વધારે ભવ્ય થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીના નિર્દેશો અનુસાર આ સમારોહને સાદગીપૂર્ણ અને ગંભીર રૂપ આપવામાં આવશે.
શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં થશે. મુખ્ય દ્વાર અને મુખ્ય ભવનની વચ્ચે એક ભવ્ય રસ્તો બનાવવામાં આવશે, જેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશોના શાસનાધ્યક્ષોને ઔપચારિક સ્વાગત માટે કરવામાં આવશે.
આ ચોથી વખત હશે જ્યારે પ્રધાનમંત્રી પદની શપથ દરબાગ હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં થશે. દરબાર હોલમાં માત્ર 500 લોકોના સમારોહની શક્યતા છે. સૌથી પહેલા ચંદ્રશેખરે 1990માં બહારના પ્રાંગણમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ 1998માં અને ત્યારબાદ 2014માં નરેન્દ્ર મોજીએ બહારના પરિસરમાં શપથ ગ્રહણ કર્યા હતા. 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સાર્ક દેશોના પ્રમુખો ઉપરાંત આશરે 4000 મહેમાનોએ ભાગ લીધો હતો.
આ વખતે સમારોહમાં 14 દેશોના પ્રમુખ, કેટલાક દેશોના રાજદૂત, બુદ્ધિજીવ, રાજકીય એક્ટિવિસ્ટ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીને બોલાવવામાં આવ્યા છે.
સમારોહ લગભગ એવો હશે જેવો 2014માં થયો હતો. બહારના પ્રાંગણની કેન્દ્રીય જગ્યા પર મહેમાનોને બેસવાની વ્યવસ્થા થશે. સાંજે 7 વાગ્યે સમારોહ બાદ અતિથિઓ માટે ડિનરની વ્યવસ્થા કરનામાં આવી છે. ડિનરમાં વેજ અને નોનવેજ બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના રસોઇઘરને નિર્દેશ આપવામાં આવ્યો છે કે અતિથિઓમાં ઘણા લોકો ભારતના પૂર્વ વિસ્તારથી પણ છે, જ્યાં ડિનર ખૂબ જ લાઇટ રાખવામાં આવે છે. ડિનર મેન્યુમાં 'દાળ રાયસીના' ને પણ જગ્યા આપવામાં આવી છે, જેને બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. ગુરુવાર રાતના ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને 48 કલાક પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી છે.