જસદણની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત થઈ છે. ત્યારે હવે કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીથી પરત ફરતા કુંવરજી બાવળિયા નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે.
કોંગ્રેસમાં જે નેતા નારાજ છે તેમની રજૂઆત ભાજપ મેવડી મંડળમાં પણ કરવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે પીએમ મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જસદણ ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Met Gujarat Cabinet Minister Shri Kunvarjibhai Bavaliya.
Congratulated him on his win in the Jasdan by-poll and conveyed my best wishes in his endeavours towards serving the people of Gujarat and further strengthening @BJP4Gujarat. pic.twitter.com/QW0VpPgVlK
જસદણમાં પેટાચૂંટણીની મતગણતરી આજરોજ વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. 14 જેટલા ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 19 રાઉન્ડને અંતે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજી બાવળિયાની જીત થઇ હતી.
આપને જણાવી દઇએ કે ભાજપને આ જીત માત્ર વ્યક્તિ વિષેશતાને કારણે મળી છે. કુંવરજી બાવળિયા 1995 1998 2002 2007 અને 2017માં એમ કુલ 5 વખત સતત આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
જેનો શ્રેય ભાજપને આજે મળ્યો છે. પક્ષ બદલ્યો હોવા છતા. પ્રતિષ્ઠા બાવળિયાની ઝડવાઈ રહી હોવાનું આ પરિણામ આજે સામે આવ્યું છે. સ્થાનિક જનતાએ કુંવરજી બાવળિયાની લાંબી રાજનીતિ પર વિશ્વાસ કર્યો છે.