પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરને એક નવી ગીફ્ટ આપી છે. દરેક ઘરમાં જળ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના સંકટ સમયમાં પણ દેશ રોકાયો નથી, દેશ અટક્યો નથી, દેશ કંટાળ્યો નથી. જ્યાં સુધી વેક્સીન આવતી નથી ત્યાં સુધી મજબૂતી સાથે લડતા રહેવાનું છે. પીએમ મોદીએ આ પ્રોજેક્ટને રક્ષા બંધન પર બહેનોની ગીફ્ટ ગાણાવી.
પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઇસ્ટના લોકોને સ્થાનિક પર ગર્વ હોય છે, જ્યારે હું ત્યાંનો ગમછો પહેરુ છું તો લોકોને ગર્વ થાય છે. બંબૂના ક્ષેત્રમાં પણ નોર્થ ઇસ્ટને લાભ થશે, જે રાજ્ય એક્ટિવ હશે તેનો ઘણો ફાયદો થવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર કોરોના સામેની જંગ લડી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં અંદાજે 25 લાખ લોકોને મફતમાં અનાજ મળ્યું છે, 1.5 લાખથી વધારે મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે રોજ 1 લાખ લોકોને પાણીનું કનેકશન આપવામાં આવી રહ્યું છે.
Prosperity and progress are directly linked to connectivity. Connectivity in the Northeast is important, not for only ease of living, but also for achieving the goal for a safe and self-reliant India: Prime Minister Narendra Modi pic.twitter.com/LbT2duksly
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી સતત મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજના જળ પ્રોજેક્ટથી માત્ર આજે નહીં પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થશે. શુધ્ધ પાણીથી માત્ર તરસ નહી છીપાય, પરંતુ લોકોને સ્વસ્થ રાખવા અને રોજગારી આપવાનું પણ કામ કરશે.
नॉर्थ ईस्ट में देश के विकास का ग्रोथ इंजन बनने की क्षमता है। दिनों-दिन मेरा ये विश्वास इसलिए गहरा हो रहा है क्योंकि अब पूरे नॉर्थ ईस्ट में शांति की स्थापना हो रही है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/KNFlQMXwdi
પીએમ મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ નોર્થ ઇસ્ટના ખેડૂતો જો પૉમોલિનની ખેતી તરફ વળી જશે તો દેશને ઘણો ફાયદો થશે. આજ પૉમોલીન તેલની દેશમાં ડિમાન્ડ છે, એવા સમયે રાજ્ય સરકારે આ તરફ ધ્યાન આપવું જોઇએ. જેને માટે યોજના બનાવામાં આવે અને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદ આપવામાં આવશે.