લોકસભા ચૂંટણીમાં તાબડતોડ પ્રચાર બાદ વડાપ્રધાન મોદી ભગવાન શિવના શરણમાં કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમનું મંદિરના પુરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Prime Minister Narendra Modi meditates at a holy cave near Kedarnath Shrine in Uttarakhand. pic.twitter.com/KbiDTqtwwE
ત્યારબાદ તેઓએ ભગવાન શિવની પૂજા અર્ચના અને રુદ્રાભિષેક માટે મંદિરના ગર્ભગૃહમાં દાખલ થયાં હતા જ્યાં તેમણે આશરે અડધો કલાક પૂજા કર્યાબાદ પ્રધાનમંત્રીએ મંદિરની પરિક્રમા કરી અને હાથ હલાવીને શ્રદ્ધાળુઓનું અભિવાન કર્યું હતું.
ખાસ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા કેદારનાથ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દહેરાદૂનના જોલીગ્રાન્ટ એરપોર્ટથી આર્મીનાં હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પહાડો પર ધારણ કરવામાં આવતાં સ્પેશિયલ ડ્રેસમાં સજ્જ થઇને બાબા કેદારનાથના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ ડ્રેસને ગઢવાલી પોષાક તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોકસભા ચૂંટણીમાં તાબડતોડ પ્રચાર બાદ વડાપ્રધાન મોદી ભગવાન શિવના શરણમાં કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમનું મંદિરના પુરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મંદિરની બહાર એકત્ર થયેલ માનવ મહેરામણ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. લોકોએ પીએમ મોદીને ફૂલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના સંદર્ભમાં કડક સુરક્ષા જાપતો ગોઠવવામાં આવ્યો હતો.