પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનેલા 1.75 લાખ ઘરોના 'ગૃહ પ્રવેશ કાર્યક્રમ'નું ઉધ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ સૌથી પહેલા પાકા ઘર મેળવનારા કેટલાંક લાભાર્થીઓ સાથે વાત કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધન કહ્યું કે, 'હવે મધ્ય પ્રદેશના પોણા 2 લાખ એવા પરિવાર, જે આપણા ઘરમાં પ્રવેશ કરી રહ્યાં છે, જેમનો ગૃહ-પ્રવેશ થઇ રહ્યો છે, તેમને પણ હું શુભેચ્છા પાઠવું છું, શુભકામના આપુ છું'
PM મોદીએ કહ્યું કે આ વખતે તમારા બધાની દિવાળી, તમારા બધાના તહેવારોની ખુશી કંઇક અલગ હશે. કોરોના કાળ ન હોત તો આજે તમારા જીવનની આટલી મોટી ખુશીમાં સામેલ થા માટે, તમારા ઘરના એક સભ્ય, તમારા પ્રધાનસેવક તમારી વચ્ચે હોત.
मध्य प्रदेश के पौने 2 लाख ऐसे परिवार, जिनका गृह-प्रवेश हो रहा है, उनको भी मैं बहुत बधाई देता हूं, इस बार आप सभी की दीवाली, आप सभी के त्योहारों की खुशियां कुछ और ही होंगी।कोरोना काल नहीं होता तो आज आपके जीवन की इतनी बड़ी खुशी में शामिल होने के लिए आपका प्रधानसेवक आपके बीच होता: PM https://t.co/NWfLF91cMQpic.twitter.com/nXKWQXMNYx
45 થી 60 દિવસમાં એક ઘર બનાવીને તૈયાર કરવામાં આવ્યું
PM મોદીએ કહ્યું, સામાન્ય રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવા માટે અંદાજે 125 દિવસનો સમય લાગે છે. કોરોનાના આ કાળમાં PM આવાસ યોજના હેઠળ ઘરો માત્ર 45 થી 60 દિવસમાં જ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યાં છે. આફતને અવસરમાં બદલવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ તેજીમાં સૌથી મોટુ યોગદાન રહ્યું શહેરમાંથી પરત ફરેલા શ્રમિક સાથીઓનું.
पहले गरीब सरकार के पीछे दौड़ता था, अब सरकार लोगों के पास जा रही है। अब किसी की इच्छा के अनुसार लिस्ट में नाम जोड़ा या घटाया नहीं जा सकता। चयन से लेकर निर्माण तक वैज्ञानिक और पारदर्शी तरीका अपनाया जा रहा है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/tc6bjXcaWo
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગરીબ સરકારની પાછળ દોડતા હતા, હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે. હવે કોઇની ઇચ્છા અનુસાર યાદીમાં નામ કમી અથવા જોડી દેવાતું નથી. પસંદગીને લઇને નિર્માણ સુધી પારદર્શિકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. ઘરની ડિઝાઇન પણ સ્થાનિક જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી રહ્યું છે.