બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / PM Modi in MP said Congress never allowed the talented leadership of SC, ST and OBC communities

મધ્યપ્રદેશ / 'કોંગ્રેસને ખબર હતી દલિત માહિતી કમિશનર બનવા જઈ રહ્યા છે માટે શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો', PM મોદીનો મોટો શાબ્દિક હુમલો

Vaidehi

Last Updated: 05:37 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે,' તેમનું કામ માત્ર મને ગાળો આપવાનું છે. તેઓને SC,ST અને OBC કોઈની ચિંતા નથી.'

  • PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર ખુલીને હુમલો કર્યો
  • 'કોંગ્રેસે દલિત માહિતી કમિશનરની નિમણૂક બેઠકનો બહિષ્કાર કર્યો '
  • કોંગ્રેસ હંમેશા ખોટું બોલી છે: PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી દળ જાતિગત જનગણનાની માંગ કરતાં કહી રહ્યાં છે કે મોદી સરકારે ઓબીસી વર્ગ માટે કંઈ નથી કર્યું. તેવામાં આજે PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આજે જનસંબોધન દરમિયાન હુમલો કરતાં કહ્યું કે,' તેમને ( કોંગ્રેસને) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે કામ નથી કર્યું. કોંગ્રેસે માત્ર પોતાના લોકોને જ આગળ વધાર્યું છે. '

...OBCને ગાળો આપવા લાગ્યાં છે : PM
PM મોદીએ કહ્યું કે,' કોંગ્રેસે એમને જ આગળ વધાર્યું જે દિલ્હી દરબારમાં હાજરી લગાડતાં હતાં. SC ST અને OBCને પ્રભાવશાળી નેતૃત્વ ક્યારેય પણ નથી આપ્યું. આ દરબારી માનસિકતાને કારણે સવાર- સાંજ મોદીને ગાળો આપે છે. મોદીને ગાળો આપતાં-આપતાં ઓબીસી સમાજને ગાળો આપે છે.'

શું બોલ્યાં PM મોદી?
PM મોદીએ કહ્યું કે,' કોંગ્રેસ આમંત્રણ મળ્યા હોવા છતાં દેશનાં પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર CICનાં શપથગ્રહણમાં શામેલ ન થઈ.  હીરાલાલ સમારિયાને પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર બનાવવાને લઈને બોલાવવામાં આવેલી બેઠકનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો. કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું હતું.'

કોંગ્રેસ હંમેશા ખોટું બોલી છે: PM
PM મોદીએ આરોપ લગાડતાં કહ્યું કે,' કોંગ્રેસનો ઈતિહાસ પગલે-પગલે જૂઠ્ઠું બોલવાનો રહ્યો છે. કોંગ્રેસે હંમેશા ગરીબ, મહિલાઓ, યુવાનોને જૂઠ્ઠું બોલ્યું છે અને ખેડૂતોને પણ કરમાફ કરવાનો ખોટો વાયદો કર્યો છે. PMએ દાવો કર્યો કે બીજી તરફ BJP સરકાર જે બોલે છે તે અમે પૂરું કરીને દેખાડીએ છીએ.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ