માતા હીરાબાને મળવા પહોંચ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં વિકાસ કામો તથા પાવાગઢમાં નવનિર્મિત મંદિરમાં ધજારોહણ માટે ગુજરાત પ્રવાસે છે ત્યારે શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi reaches the residence of his mother Heeraben Modi, in Gandhinagar.
ગિફ્ટ લઈને આવ્યા PM મોદી
શનિવારે વહેલી સવારે ગાંધીનગરમાં હીરાબાના નિવાસસ્થાને પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે આવી પહોંચે છે. આ વખતે PM મોદી પોતાના માતાને મળવા ગયા ત્યારે હાથમાં કોઈ ગિફ્ટ લઈને આવ્યા હતા.
વડનગરમાં ખાસ આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થઈ રહ્યાં છે.હીરાબાના 100 વર્ષ થવા પર પરિવાર દ્વારા વડનગરમાં પૂજાપાઠ અને ભક્તિ સંધ્યા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.કારણ કે, આ દિવસ મોદી પરિવાર માટે ખાસ છે.
હીરાબાના સંઘર્ષના 100 વર્ષ
આ દિવસ ગુજરાતના લોકો માટે ખાસ બની ગયો છે.કારણ કે, આપણા પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષના થઈ ગયાં છે.જેને લઈને વડનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.હીરાબા એટલે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના માતા.એવું તો બધા જાણે જ છે.પરંતુ મોટા ભાગના લોકો એવાત નહીં જાણતા હોય કે, પ્રધાનમંત્રી મોદીની જેમ તેમના માતા હીરાબાનું જીવન પણ સંઘર્ષથી ભરેલું રહ્યું છે. હીરાબા જ્યારે 6 માસના હતા. ત્યારે જ તેમણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી અને ત્યારબાદ તેમણે અપર માતાના સંતાનોને પણ મોટા કર્યા. હીરાબાના જીવનમાં લગ્ન પછી પણ સંઘર્ષ ચાલું રહ્યા. સતત ગરીબીમાં મહેનત કરીને તેમણે પોતાના 6 સંતાનોને મોટા કર્યા. બીજા શબ્દોમાં કહીએ તો.સંઘર્ષ અને તડકા છાયડાનું જીવંત ઉદાહરણ એટલે હીરાબા. આ શબ્દો અમારા નથી.પરંતુ હીરાબાના પુત્ર પ્રહલાદભાઈ મોદીના છે.એટલું જ નહીં અમારી સાથે માતાના સંઘર્ષ વિશે વાત કરતા.કરતા પ્રહલાદભાઈ ભાવુંક પણ થઈ ગયા.
વડનગરમાં હીરાબાની અનેક યોદો જોડાયેલી છે
હીરાબાએ જે ઘરમાં પોતાના 6 સંતાનનો ઉછેર કર્યો તે ઘર આજે પણ એજ સ્થિતિમાં છે.જૂનું પુરાણું ઘર આજે રહેવાલાયક તો નથી. પણ હીરાબાના સંતાનોએ આ ઘરને એક યાદ તરીકે સાચવી રાખ્યું છે. તો સમગ્ર મોદી મહોલ્લામાં આજે પણ લોકો હીરાબા સાથેની યાદો વાગોળે છે. હીરાબા મોદી મહોલ્લામાં આવેલા મહાદેવના મંદિર અને તારણ માતાના મંદિરમાં નિયમિત પૂજા અને ભજન કીર્તન કરતા હતા. તો હીરાબાનો સ્વભાવ ખૂબ જ સરળ હોવાનું વડનાગરવાસીઓ કહી રહ્યા છે. સંઘર્ષમાં કેવી રીતે રસ્તો કાઢવો તે હીરાબા પાસેથી લોકો શીખ્યા છે. જ્યારે પણ વડનગર કે મોદી મહોલ્લામાં કોઈ મુસીબતમાં મુકાય કે કોઈ જગ્યાએ અટવાય તો તે હીરાબાની સલાહ લેતા, વડનગરમાં હીરાબાની અનેક યોદો જોડાયેલી છે.
હીરાબા માટે ખાસ આયોજન
વડનગર આજે હીરાબાનો જન્મ દિવસ ઉજવવા થનગની રહ્યું છે. સૌ કોઈ હીરાબાના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. હીરાબાના 100 વર્ષ પૂર્ણ થવા પર વડનગરમાં વિશેષ ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં વિશેષ પૂજા, સુંદરકાંડના પાઠ તેમજ ભક્તિ સંધ્યાનું આયોજન કરવામા આવ્યું છે.આ સાથે જ મોદી પરિવાર દ્વારા વડનગરની તમામ શાળાઓમાં બાળકોને શિરો અને મગનું ભોજન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ હીરાબાના 100 વર્ષ પૂર્ણ થતાં વડનગરમાં ઉમંગનો માહોલ છે. કારણ કે, આજે પણ વડનગરમાં લોકો હીરાબાને પોતાના આદર્શ માને છે.