પીએમ મોદીએ મન કી બાતમાં દેશની મહિલા ક્રિકેટર મિતાલી રાજ, અને શટલર પીવી સિધુંના મોકળા મને વખાણ કરીને તેમના જીવનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
ક્રિકેટર મિતાલી રાજના જીવનને પ્રેરણદાયી ગણાવ્યું
શટલર પીવી સિંધુની સિદ્ધીઓને બીરદાવી
મહિલા ખેલાડીઓનું જીવન પુરુષો માટે પણ પ્રેરણારુપ-પીએમ
મિતાલી રાજે તાજેતરમાં ક્રિકેટના તમામ સ્વરુપોમાં 10,000 રન પૂરા કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે. આ વાતનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે મિતાલની સફળગાથા ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષ ક્રિકેટરો માટે પણ પ્રેરણાદાયી છે.મોદીએ કહ્યું કે ઈન્ડીયન ક્રિકેટ ટીમ મિતાલી રાજ તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પુરા કરનાર દેશની પહેલી મહિલા ક્રિકેટર બની છે. આ સિદ્ધ બદલ મિતાલી રાજને ખૂબ ખૂબ અભિનંદન. મિતાલી ઓડીઆઈમાં 7,000 રન પૂરા કરનાર પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. મહિલા ક્રિકેટ જગતમાં મિતાલીનું યોગદાન અભૂતપૂર્વ છે.
"मिताली जी, हाल ही में अंतर्राष्ट्रीय क्रिकेट में दस हजार रन बनाने वाली पहली भारतीय महिला क्रिकेटर बनी हैं।
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) March 28, 2021
મિતાલીએ પોતાની બે દાયકાની લાંબી કારકીર્દી દ્વારા ઘણા લોકોને પ્રેરણા આપી
Acknowledgement of milestones achieved in my career from our Hon’ble Prime minister Sri @narendramodi ji is a very big honour for me . 🙏 https://t.co/i9GRUq8uCc
મિતાલીએ પોતાની બે દાયકાની લાંબી કારકીર્દી દ્વારા ઘણા લોકોને પ્રેરણા આપી છે. તનતોડ મહેનત અને સફળતાની તેની આ ગાથા ફક્ત મહિલાઓને જ નહીં પરંતુ પુરુષ ક્રિકેટરો માટે પણ પ્રેરણાદાયી છે.
શટલર પીવી સિંધુની સિદ્ધીઓને પણ બિરદાવી
પીએમ મોદીએ ચાલુ મહિનાની શરુઆતમાં સ્વિસ ઓપનમાં સિલ્વર મેડલ મેળવનાર શટલર પીવી સિંધુની સિદ્ધીઓને પણ હાઈલાઈટ કરી હતી.
PM મોદીએ વેક્સિન લગાવવાની કરી અપીલ
વેક્સિનેશ અંગેની વાતચીત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કરી હતી. આ સાથે જ તેમણે દેશની જનતાને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી હતી અને કહ્યું કે, કોરોનાથી લડવા માટેનો મંત્ર દવાઇ ભી ઓર કડાઇ ભીને પણ યાદ રાખવા કહ્યું હતું.
લાઇટ હાઉસ ટૂરિઝમ પર પીએમ મોદીએ મુક્યો ભાર
પીએમ મોદીએ કહ્યું હતું કે, 'ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 71 લાઇટ હાઉસની પણ ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાઈટ હાઉસમાં તેમની ક્ષમતા પ્રમાણે સંગ્રહાલયો, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, કેફેટેરિયા, ચિલ્ડ્રન પાર્ક, ઇકો ફ્રેન્ડલી કોટેજ અને લેન્ડસ્કેપિંગ હશે. હું તમને એક અનન્ય લાઇટ હાઉસ વિશે પણ જણાવવા માંગું છું. આ લાઇટ હાઉસ ગુજરાતના સુરેન્દ્ર નગર જિલ્લામાં ઝીંઝુવાડા નામની જગ્યાએ છે. શું તમે જાણો છો કે આ લાઇટ હાઉસ કેમ ખાસ છે? આ લાઇટ હાઉસ જ્યાંથી દરિયા કિનારે સો કિલોમીટરથી વધુ દૂર છે. તમને આ ગામમાં આવા પત્થરો પણ મળશે, જે સૂચવે છે કે અહીં કોઈ વ્યસ્ત બંદર હોવો જોઈએ, એટલે કે, આનો અર્થ એ છે કે પ્રથમ દરિયાકિનારો ઝીંઝુવાડા સુધી હતો. '