પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રિવરફ્રન્ટ પર તેમના આગમનને પગલે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે ત્યારે અમદાવાદના મોર્નિંગ વોકર્સ માટે મહત્વના સમાચાર. રિવરફ્રન્ટ પર મોર્નિગ કરવા જતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના મોર્નિંગ વોકર્સ માટે મહત્વના સમાચાર
મોર્નિંગ વોકર્સને રિવરફ્રન્ટ પર વોકિંગ માટે પ્રતિબંધ
2 દિવસ શહેરીજનો નહીં કરી શકે મોર્નિગ વોક
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદના મોર્નિંગ વોકર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મોર્નિંગ વોકર્સને રિવરફ્રન્ટ પર વોકિંગ માટે આગામી 2 દિવસ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી 2 દિવસ સુધી શહેરીજનો રિવરફ્રન્ટ પર મોર્નિગ વોક કરી શકશે નહીં.
PM મોદીની સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ચંદ્રનગરથી સરદાર બ્રિજના રિવરફ્રન્ટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય PM મોદીની સુરક્ષાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી 2 દિવસ સુધી મોર્નિંગ વોકર્સ રિવરફ્રન્ટ પર વોકિંગ કરવા નહીં જઇ શકે.
ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
PM મોદીના આગમનને લઇ અમદાવાદમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. PM મોદીની મુલાકાતને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ રહ્યો છે. 100થી વધુ ફાયર જવાનો રિવરફ્રન્ટમાં રહેશે તૈનાત તો 10 જેટલી સ્પેશિયલ બોટમાં ફાયર જવાનો તૈનાત રહેશે.