PM મોદી દેશની પહેલી સ્વચાલિત ટ્રેન સેવા દિલ્હી મેટ્રોની મજેંટા લાઈનનું આજે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી 11 વાગે ઉદ્ધાટન કરશે. સાથે જ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરશે.
PM મોદી કરશે ચાલકરહિત ટ્રેનનું ઉદ્ધાટન
દિલ્હી મેટ્રોની મજેંટા લાઈનનું કરશે ઉદ્ધાટન
નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરશે
પીએમઓ તરફથી મળતી માહિતીમાં કહેવાયું છે કે ચાલક રહિત ટ્રેન સ્વચાલિત રહેશે. જે કોઈ પણ માનવીય ભૂલની સંભાવનાને ખતમ કરી દેશે. દિલ્હી મજેંટા લાઈન પર ચાલક રહિત ટ્રેન સેવા શરૂ કર્યા બાદ પિંક લાઈન પર 2021માં એમપીમાં ચાલક રહિત ટ્રેન સેવા શરૂ થાય તેવી આશા છે. મજેંટા લાઈન પર જનકપુરી- બોટેનિકલ ગાર્ડન કોરિડોર પર 37 કિલોમીટરના વિસ્તારમાં આા સેવાની શરૂઆતની સાથે દિલ્હી - એનસીઆરના યાત્રીઓ અત્યાધુનિક સેવાઓનો પોતાની સુવિધા અનુસાર ઉપયોગ કરી શકશે.
રૂપે ડેબિટ કાર્ડની મદદથી સફર બનશે સરળ
એનસીએમસીને એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર સંપૂર્ણ રીતે સંચાલિત કરી શકાશે, સાથે જ દેશના અનેક ભાગમાં જાહેર રૂપે ડેબિટ કાર્ડ રાખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરીને માર્ગ પર યાત્રા કરી શકશે. પીએમઓએ કહ્યું કે આ સુવિધા 2022 સુધીમાં દિલ્હી મેટ્રોના નેટવર્ક પર પણ મળશે.
ટેકનિકની દિશામાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના આ પગલાંથી ડીએમઆરસીનું નામ દુનિયાના અગ્રણી મેટ્રો સેવામાં સામેલ થશે. જૂન 2022 સુધી પિંક લાઈન પર 57 કિલોમીટરના વિસ્તારમાં ચાલક રહિત મેટ્રોથી યાત્રા કરનારા લોકો 94 કિલોમીટરના વિસ્તારમાં મુસાફરી કરવાનો અવસર મેળવશે. આ આખી દુનિયામાં ડ્રાઈવર લેસ મેટ્રો નેટવર્કનો લગભગ 9 ટકા ભાગ હશે. આ સેવા પૂર્ણ રીતે સ્વચાલિત હશે.