અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના ચાર્જ મામલે પ્રહલાદ મોદીનો વિવાદ સામે આવ્યો છે. પાર્કિંગ કર્યા વગર ચાર્જ વસૂલવા મુદ્દે બબાલ થઈ હતી.
અમદાવાદ એરપોર્ટ ઉપર પરેશાનીનો પાર નથી
અદાણી ગૃપ દ્વારા સંચાલનથી મુસાફરો તોબા
પ્રધાનમંત્રીના ભાઈને પણ કડવો અનુભવ
અમદાવાદ એરપોર્ટ ઉપર પાર્કિંગ ચાર્જથી મુસાફરો પરેશાન છે. પાર્કિંગ ચાર્જ લેવા મુદ્દે પ્રધાનમંત્રીના ભાઈ પ્રહલાદ મોદીએ હોબાળો કર્યો હતો. પ્રહલાદ મોદી હરિદ્વારથી પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. પ્રહલાદ મોદીએ કાર પાર્ક જ નહોતી કરી છતા 90 રૂપિયા માંગવામાં આવ્યા હતા. કર્મચારીએ કાર જમા કરવાની ધમકી આપી હતી.
હોબાળા બાદ પાર્કિંગ ચાર્જ લીધા વગર પ્રહલાદ મોદીને જવા દીધા હતા. અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રૂપ દ્વારા થાય છે. અદાણી ગૃપ દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જની અગાઉ પણ ફરિયાદ ઉઠી છે
શું કહ્યુ પ્રહલાદ મોદીએ?
મેં ગાડી પાર્ક કરી જ નથી તો હું પૈસા કેમ આપુ.કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. ગઈકાલે પણ હરિદ્વારથી આવ્યા બાદ હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.