ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, હાપુડ અને નોઈડાની જનતાને ચૌપાલમાં સંબોધન કરતા પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી અને તેના અધ્યક્ષ અખિલેશ યાદવ પર બરાબરના પ્રહારો કર્યા હતા.
પીએમ મોદી પ્રચાર કરવા યુપીમાં પહોંચ્યા હતાં
ચૌપાલમાં જનતાને સંબોધન કરતા સપા સરકાર પર પ્રહારો કર્યા
અખિલેશ યાદવ પર કર્યો કટાક્ષ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, હાપુડ અને નોઈડાની જનતાને ચૌપાલમાં સંબોધન કરતા પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી અને તેના અધ્યક્ષ અખિલેશ યાદવ પર બરાબરના પ્રહારો કર્યા હતા. કોરોના રસીને ભાજપની રસી ગણાવવા પર અખિલેશ પર નામ લીધા વગર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજનીતિની ગંદી રમતમાં ડૂબેલા લોકોની જીંદગી સાથે રમત કરતા પણ અચકાતા નથી.
પીએમ મોદીએ કહ્યું કે, યુપીમાં 100 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે. 70 ટકા લોકોને બંને ડોઝ લાગી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ એ લોકોને જવાબ છે, જે અફવાઓ ફેલાવીને, એક સમયે વેક્સિન પર સવાલો કરતા હતા. લોકોને ડરાવી રહ્યા હતા. જરાં વિચારો જે લોકોએ વેક્સિન વિરુદ્ધ અફવાઓ ફેલાવી, સામાન્ય લોકોના મનને વિચલીત કર્યા, આપને મારી વાતનો વિશ્વાસ હતો, આપ વેક્સિન માટે આગળ આવ્યા. પણ આ રીતની વિકૃત માનસિકતા સાથે જે વાતો બનાવામા આવી હતી, તે લોકોએ માની લીધું હોત તો, લોકોને રસી લાગી હોત નહીં અને ઓમિક્રોન આવતો તો શું થાત ? રાજનીતિના ગંદા ખેલમાં ડૂબેલા લોકો જનતાની જીંદગી સાથે રમવાનું પણ ચૂક્યા નથી અને અફવાઓ ફેલાવી દીધી. વેક્સિન લગાવી લીધી. આપે પણ દેશને બચાવવામાં મદદ કરી.લોકોએ આવા સમયે બેધડક સમજાવી દીધું કે, સમાજવાદી જૂઠાણુ ઘણી વાર પણ ટકી શકે તેમ નથી.
પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી બાદ યુપીએ અનેક ચૂંટણીઓ જોઈ, અનેક સરકારો બને છે, વિખેરાતા જોઈ. પણ આ ચૂંટણી સૌથી અલગ છે. આ ચૂંટણીમાં યુપીમાં શાંતિ સ્થાપવા માટે, વિકાસની નિરંતરતા માટે છે. પ્રશાસનમાં સુશાસન માટે છે, યુપીના લોકોનો ઝડવી વિકાસ થાય તેના માટે છે. આ ચૂંટણી હિસ્ટ્રીશીટરને બહાર રાખવા અને નવી હિસ્ટ્રી બનાવવા માટે છે. પીએમે કહ્યું કે, મને ખુશી છે કે, યુપીના લોકએ મન બનાવી લીધું છે કે, દંગા કરનારા અને માફિયાઓને પડદાથી પાછળથી સત્તામાં આવવા દેશે નહીં. વેપાર અને ધંધા માટે કાયદાનું રાજ હોવું જરૂરી છે. આ બધા જાણે છે. કોઈ વિચારી પણ ન શકે કે, યુપીમાં ગુંડાઓ ક્યારેય કાબૂમાં આવશે. પણ યોગીજીએ કાયદાનું રાજ સ્થાપિત કર્યું છે. ગુંડાગીરી કરનારાઓને એ સમજાઈ ગયું છે.