IIT મદ્રાસમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ સમયે તેઓએ કેમેરાના ઈનોવેશનને લઈને ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે યુવા વિદ્યાર્થીઓએ કેમેરાને લઈને કેટલાક પ્રયોગ કર્યા છે જેનાથી કોણ કેટલું ધ્યાન આપે છે તેનો ખ્યાલ આવી શકે છે. પીએમએ કહ્યું કે આવો જ પ્રયોગ સંસદમાં પણ થાય તેવી હું કોશિશ કરીશ.
IIT મદ્રાસમાં PM મોદીએ કેમેરાના ઈનોવેશનને લઈને કરી મજાક
વિદ્યાર્થીઓના કેમેરા ઈનોવેશનથી ખ્યાલ આવશે કે કોણ કેટલું ધ્યાન આપી રહ્યું છે
સંસદમાં પણ તેનો પ્રયોગ શરૂ કરવાનો પીએમએ કર્યો ઉલ્લેખ, સ્પીકર સાથે કરશે ચર્ચા
પીએમ મોદીએ આજે IIT મદ્રાસમાં સિંગાપુર- ભારતના હૈકથૉન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપ્યો અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. દીક્ષાંત સમારોહના અવસરે પીએમએ અંગ્રેજીમાં સંબોધન આપ્યું અને સાથે એશિયાઈ દેશોની વચ્ચે સહયોગ વધારવા સાથે ઈનોવેશન પર પણ ધ્યાન આપ્યું. પીએમએ કહ્યું કે કેમેરાને લઈને આ પ્રયોગ રોચક છે. તેનાથી ખ્યાલ આવે છે કે કોણ કેટલું ધ્યાન આપી રહ્યું છે. પીએમની આ વાતથી લોકો હસી પડ્યા હતા.
#WATCH "My young friends here solved many problems today. I specially like the solution about camera to detect who is paying attention. I will talk to my Speaker in the Parliament. I am sure it will be very useful to Parliament", says PM at Singapore-India Hackathon at IIT-Madras pic.twitter.com/mheXdLaPGo
કેમેરા પર પીએમએ કરી મજાક અને હોલમાં બેઠેલા લોકો હસ્યા
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સંબોધિત કર્યા. પીએમનું ભાષણ ઈનોવેશન અને પ્રયોગ પર આધારિત હતું. ભાષણ સમયે પીએમએ કહ્યું કે મારા યુવા દોસ્તો અનેક સમાધાન શોધી લે છે. તેનાથી ખ્યાલ આવે છે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળે છે. હવે હું પણ સ્પીકર સાથે ચર્ચા કરીને સંસદમાં તેનો પ્રયોગ કરીશ. પીએમની આ વાતથી હોલના તમામ લોકો હસ્યાં.
PM Narendra Modi: Hackathons are great for youngsters, participants get access to state of the art technology for solution of global problems. I firmly believe that the solutions found in today's hackathon are the start-up ideas for tomorrow. pic.twitter.com/N173hYJqhv
પીએમ મોદીએ કહ્યું કે હું વિશ્વાસ રાખું છું કે ટેકનિક અને વેપાર લોકોને એક કરવાનું કામ કરે છે. પીએમ મોદીએ ક્હ્યું એશિયાઈ દેશોના મન એકસાથે કામ કરે અને ઈનોવેટિવ સમાધાન શોધીને ખાસ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ લાવે. આ અવસરે પીએમએ કહ્યું કે ભારતનું ફોકસ આ સમયે ઈનોવેશનની મદદથી સામાન્ય જનતાના જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યું છે.
ચેન્નઈ શહેરના પીએમએ કર્યા વખાણ
કાર્યક્રમમાં સામેલ થનારા સિંગાપુરના પ્રતિનિધિઓ સામે ચેન્નઈ શહેરના પીએમ મોદીએ વખાણ કર્યા. પતેઓએ કહ્યું કે અહીંનું સ્વાગત સારું હોય છે. તેઓએ કહ્યું કે મને આશા છે કે સિંગાપુર આવેલા યુવાનોને અહીં ગમશે.