પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે હું ભારતની જનતાને વિનંતી કરીશ કે જો તમને પ્રકૃતિ અને જંગલ ગમે છે, તો તમારે ઉત્તર-પૂર્વ તરફ જવું જોઈએ. એક સવાલના જવાબમાં કહ્યું કે રાજનીતિમાં જવાની ઇચ્છા નહોતી પરંતુ જ્યાં છું ત્યાં દિલથી કામ કરવું જોઇએ. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું આજે 59 મું સંસ્કરણ હતું.
પીએમ મોદીએ કહી આ વાતો
દેશમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનાં મૂલ્યો સર્વોચ્ચ છે. જ્યારે રામ મંદિર પર નિર્ણય આવ્યો ત્યારે આખા દેશે ખુલ્લેઆમ વધાવ્યો. સંપૂર્ણ સહજતા અને શાંતિ સાથે સ્વીકાર્યું.
અયોધ્યા કેસમાં 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો તો 130 કરોડ ભારતીયોએ ફરી સાબિત કર્યું કે તેમના માટે દેશહિતથી વધીને કંઈ નથી. દેશમાં શાંતિ, એકતા અને સદભાવનાના મૂલ્ય સર્વોપરી છે.
ભારતમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટથી તો તમે પરિચિત છો. CBSEએ એક સરાહનીય પહેલ કરી છે ફિટ ઈન્ડિયા અઠવાડિયાની. ફિટ ઈન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના શિક્ષક અને માતા પિતા પણ ભાગ લઈ શકે છે.
આ અવસરે અમે પોતાની આર્મ્ડ ફોર્સના અદમ્ય સાહસ, શોર્ય અને સમર્પણ ભાવને પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને સાથે વીર સૈનિકોનું સ્મરણ કરીએ.
7 ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ એ દિવસ છે જ્યારે આપણે આપણા વીર સૈનિકોને, તેમના પરાક્રમોને અને તેમના બલિદાનને યાદ કરીએ છીએ અને તેમના યોગદાનનું મૂલ્ય સમજીએ છીએ.
મારું સૌભાગ્ય રહ્યું છે કે મેં બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટની ટ્રેનિંગ લીધી હતી. મને ડિસિપ્લીન, યૂનિફોર્મ ખબર છે. તેનું કારણ વિશ્વાસનું સ્તર પણ વધારે છે. બાળપણમાં મને દરેક ચીજો મને એક એનસીસી કેડેટના રૂપમાં અનુભવ કરવાનો અવસર મળ્યો હતો.