રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. પોતાની જીત મેળવવા નેતાઓ રાત-દિવસ એક કરી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલે પીએમ મોદીએ આણંદ, હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી, જ્યારે આજે પીએમ મોદી અમરેલીમાં સભા સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે પીએમ મોદી અમરેલીમાં સભા સંબોધશે. અમરેલીમાં 10 વાગે પીએમ મોદી સભા સંબોધશે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે.
પ્રથમ દિવસે પીએમ મોદીએ ત્રણ અલગ અલગ જિલ્લામાં સભા સંબોધી હતી. પીએમ મોદીએ આણંદ, હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રી રોકાણ કર્યુ. આજે 9 વાગ્યાની આસપાસ પીએમ મોદી ગાંધીનગરથી અમરેલી જવા માટે રવાના થશે.