પીએમ કિસાન નિધિમાં થઈ રહ્યા ફ્રોડને રોકવા માટે સરકારે આવું પગલું લીધું છે. હવે કેન્દ્ર સરકારની આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે રાશન કાર્ડ આપવું જરૂરી બનાવવામાં આવ્યું છે.
11માં હપ્તામાં ખોટી રીતે ફાયદો ઉઠાવીને સરકાર પાસેથી પૈસા લઈ લીધા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા
હવે ફરી 12 મી વખત આ હપ્તો મોકલાવવાનો સામે નજીક આવી ગયો છે
પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સરકારે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાની વાત કરી હતી. એ પછી કેન્દ્ર સરકાર તરફથી ઇ-કેવાયસી કરાવવાની પણ માહિતી આપવામાં આવી હતી પણ આ છતાં 11માં હપ્તામાં ખોટી રીતે લોકોએ ફાયદો ઉઠાવીને સરકાર પાસેથી પૈસા લઈ લીધા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવા કિસ્સાને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિયમોમાં એક મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. જો કે સરકારની આ કોશિશથી ખેડૂતોને જ ફાયદો થવાનો છે.
રજીસ્ટ્રેશનમાં રાશન કાર્ડ જરૂરી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સરકારે જે બદલવા કરવાનો નિર્ણય લીધો છે એ મુજબ કિસાન સમ્માન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવતા સમયે રાશન કાર્ડની જાણકારી આપવી પડશે. આ સાથે જ રાશન કાર્ડની સોફ્ટ કોપી પણ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. અને આ બધા દાતાવેજોના વેરીફીકેશ પછી જ બેંકના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો હપ્તો જમા થશે. આ પહેલા નિયમો મુજબ પરિવારના સભ્યોના નામ હેઠળ રજીસ્ટ્રેશન થઈ શકતું પણ પછી એ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે જે વ્યક્તિના નામે જમીનના દસ્તાવેજ હશે એમને જ આ યોજનાનો લાભ લિ શકે છે.
જો કે સરકારની આ સ્કીમના ઘણા લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એક જ પરિવારના બે-ત્રણ લોકો સરકાર પાસેથી આ રકમ લઈ રહ્યા છે. આ સાથે જ એવી માહિતી પણ અબહાર આવી છે ઇન્કમ ટેક્સ ફાઇલ કરનાર અને ઘણા સરકારી કર્મચારીના ખાતામાં પણ આ હપ્તો જમા થઈ રહ્યો છે. સરકારે આ લોકોને રકમ પરત મોકલવા માટે નોટિસ પણ મોકલી છે.
હવે ફરી 12 મી વખત આ હપ્તો મોકલાવવાનો સામે નજીક આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ તારીખે ખેડૂતોના ખાતામાં ફરી બે હજાર જમા થઈ શકે છે. જો કે આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ e-KYCની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે છેલ્લી તારીખ 31 જુલાઇ નક્કી કરી છે. જો કોઈ પણ ખેડૂતે e-KYC નથી કરાવ્યું તો તેઓ આ ધનરાશીથી વંચિત રહી શકે છે. e-KYC કરાવવા માટે કોઈ પણ ખેડૂત પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સિવાય ખેડૂત સીએસસી સેન્ટર પર જઈને પણ e-KYC કરાવી શકે છે. અને હવે સાથે જ તેમાં રાશન કાર્ડની માહિતી આપવી પણ ફરજિયાત છે.