PM કેર ફંડ ટ્રસ્ટમાંથી રૂા. 2000 કરોડ રૂા.ની ફાળવણી વેન્ટિલેટર માટે કરવામાં આવી છે. જેમાંથી 50000 જેટલા 'મેડ ઈન ઈન્ડિયા' વેન્ટિલેર માટે આ રકમ ફાળવવામાં આવી છે. જે સરકાર દ્વારા COVID-19ની સ્પેશિયલ હોસ્પિટલોને આપવામાં આવશે. રૂા. 1000 કરોડ શ્રમિકોના સ્થળાંતર માટે વાપરવામાં આવશે. ત્યારે ગુજરાત માટે કેટલા ફાળવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી છે.
PM કેરમાંથી 2 હજાર કરોડ વેન્ટિલેટર માટે
વેન્ટિલેટરની સપ્લાય માટે અપાશે રકમ
રકારી હોસ્પિટલોને અપાશે વેન્ટિલેટર
શું કરવામાં આવી જાહેરાત
પીએમઓ દ્વારા જાહેરતા કરવામાં આવી છે કે આ વેન્ટિલેટરમાંથી 30 હજારનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવશે. જ્યારે બાકીના 20 હજાર વેન્ટિલેટર અગ્વા હેલ્થકેર, એએમટીઝેડ બેઝિક સહિતની અન્ય સ્થાનિક કંપનીઓ બનાવશે.
અત્યારસુધી કેટલા વેન્ટિલેટર બન્યા
આ 50000થી 2923 વેન્ટિલેટર અત્યાર સુધી બન્યા છે, જેમાંથી 1340 રાજ્યોને આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રને 275, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને જુનના અંત સુધીમાં રાજ્યોને 14 હજાર વેન્ટિલેટર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષ વતી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પીએમ કેરેસ વિશે. વિપક્ષ તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવા માંગ કરી રહ્યું છે, જ્યારે તે ગરીબોને પૈસા આપવાની વાત કરે છે.
પરપ્રાંતિયોને વતન વાપસી માટે રૂા. 1000 કરોડ
PM કેર ફંડમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના ઘેર પહોંચાવામાં મદદરૂપ થવા માટે રૂા. 1000 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને આ માટે રૂા. 181 કરોડ અને ઉત્તરપ્રદેશને 103 કરોડ ફાળવવામાં આવ્યા છે.