પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે, જે લાભાર્થીઓ માટે જાણવા ખૂબ જરૂરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટા સમાચાર
સરકારે બદલ્યા અમુક નિયમો
હવે સરકાર દ્વારા મળેલ મકાન ભાડે ચડાવી શકાશે નહીં
મોટો બદલાવ
પ્રધાનમંત્રી મોદીએ લોકોને પાક્કું મકાન મળે તે માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીએમ આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ઘર લેવા માટે સહાય કરવામાં આવે છે, એવામાં પીએમ આવાસ યોજનાનાં નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
પહેલા પાંચ વર્ષ એગ્રીમેન્ટ થશે, પછી લીઝ પર દેવાશે
નવા નિયમો અનુસાર જે ઘર સરકાર તરફથી ફાળવવામાં આવે તેમાં પાંચ વર્ષ રહેવું અનિવાર્ય રહેશે નહીંતર પછી તે ઘર જે તે લાભાર્થીનું ગણાશે નહીં. સરકાર પાંચ વર્ષે જોશે કે તમે આ આવાસમાં રહો ચહઓએ કે નહીં, જો જે તે લાભાર્થી ત્યાં રહેતો હશે તો એગ્રીમેન્ટને લીઝ ડિડમાં બદલી દેવામાં આવશે, પહેલા પાંચ વર્ષ માટે માત્ર એગ્રીમેન્ટ જ અમલમાં રહેશે.
જો મકાન છોડ્યું તો એ ઘર ભૂલી જજો
જે વ્યક્તિ આવાસ મળ્યું હોવા છતાં પાંચ વર્ષથી તે આવાસમાં રહેતો નથી તેમનો એગ્રીમેન્ટ ખતમ કરી દેવામાં આવશે અને આટલું જ નહીં જે રકમ લાભાર્થીએ જમા કરાવી હશે તે પણ પાછી નહીં મળે.
કાનપુરમાં આ નિયમો પર કામકાજ શરૂ
પીએમ આવાસ યોજનાનાં આ નવા નિયમો હેઠળ કાનપુરમાં તો કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. સૌથી 60 લાભાર્થીઓ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.
ફ્રી હોલ્ડ નહીં થાય ઘર, લીઝ પર જ રહેવાનું
આ સિવાય અન્ય એક નિયમ બનાવવામાં આવ્યો છે કે ક્યારેય શહેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં થાય. આ લાભાર્થીઓએ પાંચ વર્ષ પછી પણ લીઝ પર જ રહેવાનું રહેશે, આમ કરવાથી ફાયદો એ થશે કે પીએમ આવાસ યોજના હેઠળ બનેલા ઘર કોઈ ભાડે ચડાવી શકશે નહીં.
જૉ કોઈ લાભાર્થીનું મોત થઈ જાય તો નિયમ અનુસાર પરિવારનાં સદસ્યને લીઝ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને અન્ય કોઈ પરિવાર સાથે કોઈ જ કરાર કરવામાં આવશે નહીં.