ઉત્તર પ્રદેશની ઉન્નાવ જેલના એક કેદીના કથિત તમંચા લઇને ફિલ્મી અંદાજમાં ઉભા રહેવા અને બેરેકમાં ખાવા-પીવાની વસ્તુ રાખવા સંબંધિત વીડિયો મામલે હેડ જેલ વાર્ડર સહિત ચાર જેલ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રોએ બુધવારે બતાવ્યું કે, ઉન્નાવ જેલથી સંબંધિત એક વીડિયોમાં હત્યાનો આરોપી અમરીશ અને અલગ-અલગ મામલામાં જેમાં બંધ ગૌરવ પ્રતાપ સિંહે તમંચા લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ખાવા-પીવાની વસ્તુઓ પણ જોવા મળી રહી છે.
પોલીસ ડિરેક્ટર જનરલ (જેલ) આનંદ કુમારે આ ગંભીર વિષય વિશે વાત કરતા કહ્યું કે મામલાની તપાસમાં જાણવા મળ્યું છે કે જેલમાં કેટલાક કર્મીઓની મદદથી જેલ વહીવટીય તંત્ર પર દબાણ વધારવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એમણે બતાવ્યું કે, આ મામલે જેલના હેડ વાર્ડર માતા પ્રસાદ, હેમરાજ, જેલ વાર્ડર અવધેશ સાહૂ અને સલીમ ખાંની મિલીભગત જોવા મળી છે. તેમની વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કુમારે જણાવ્યું કે વાયરલ થયેલ વીડિયો ફેબ્રુઆરી માસનો છે. તેમા જોવા મળી રહેલ જેલનો કેદી અમરીશને મેરઠથી જ્યારે ગૌરવને લખનઉથી ઉન્નાવ જેલમાં લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ, મામલાની તપાસમાં જાણવા મળ્યું છે કે ગૌરવ ખુબ સારો પેઇન્ટર છે અને વીડિયોમાં જે તમંચો જોવા મળી રહ્યો છે. તે માટીનો બનેલ છે. ઉપરાંત ખાવા-પીવાની જે વસ્તુ વીડિયોમાં જોવા મળી રહી છે તે જેલમા કેદીઓને નિયમિત રૂપે આપવામાં આવતી સામગ્રી છે. તેમા કોઇ એવી વસ્તુ નથી જે બહારથી આવી હોય તથા આપત્તિજનક હોય.