પોલીસ વિભાગમાં PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ રાખી દેવાઈ, 22 એપ્રિલથી શરૂ થનારી શારીરિક પરીક્ષા હાલ મોકૂફ કરી દીધી છે
PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ
22 એપ્રિલથી શરૂ થઇ રહી હતી શારીરિક પરીક્ષા
કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ રાખી દેવાઈ છે. 22 એપ્રિલથી શરૂ થનારી શારીરિક પરીક્ષા હાલ મોકૂફ કરી દીધી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય કરાયો છે. અંદાજે 4 લાખ ઉમેદવારો આપવાના પરીક્ષા આપવાના હતા.
પરીક્ષાના નિયમોને લઈ ઉઠાવ્યો હતો વાંધો
PSI ભરતીના નિયમમાં જે વિરોધ ઉઠ્યો છે તેમાં પોલીસ વિભાગની PSI-ASIની ભરતીમાં દોડની પરીક્ષા બાદ 15 ગણા કેટેગરી પ્રમાણે ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાના નિયમને રદ કરવાની માગણી કરી હતી. જેના બદલે જે લોકો દોડની પરીક્ષા પાસ કરે તે તમામને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે તેવી માગણી કરાઈ રહી છે. સાથે અન્ય પરીક્ષા માફક પ્રતિક્ષા યાદી એટલે વેઈટિિંગ લિસ્ટ રાખવામાં આવે તેવી માગણી છે. જેથી જે ઉમેદવાર પરીક્ષા પાસ કર્યા પછી નોકરી કરવા માગતો નથી. તેમના સ્થાને અન્ય ઉમેદવારને નોકરી પ્રાપ્ત થઈ શકે.
સરકારને આટલી ઉતાવડ કેમ છેઃ યુવરાજ જાડેજા
બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલનકારી નેતા યુવરાજ જાડેજા ફરી PSI અને ASIની પરીક્ષાના ભરતી નિયમનો વિરોધ લઈને સામે આવ્યા છે. યુવરાજ જાડેજાએ કહ્યું કે, હાલ ઉનાળાની મોસમ ચાલી રહી છે. સાથે કોરોનાના કારણે ગ્રાઉન્ડો પણ બંધ છે. આ પ્રકારના સમયમાં વિદ્યાર્થી ફિઝીકલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકશે. સાથે યુવરાજે કહ્યું કે, સરકારને આટલી જલ્દી પરીક્ષા લેવાની ઉતાવડ કેમ છે. એક તરફ લોકો ફોર્મ ભરી રહ્યા છે. બીજી તરફ સરકારે ફિઝીકલ પરીક્ષાની જાહેરાત પણ કરી દીધી છે.