કોરોના રસી અને બ્રિટનમાં જોવા મળતા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની રસી બનાવનારી કંપની ફાઈજરનું કહેવું છે કે તેમની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા સ્ટ્રેન પર અસરદાર છે.
નવા વાયરસને ખતમ કરવા માટે આ રસી અસરકારક
કોરોનાના નવા સ્ટ્રેનમાં 17 ફેરફાર થયા છે
આનાથી શરીરનુ પ્રતિરક્ષા તંત્ર કામ કરવાનું શરુ કરી દે છે
નવા વાયરસને ખતમ કરવા માટે આ રસી અસરકારક
ટેક્સાસ મેડિકલ બ્રાન્ચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાની રસી આ ખતરનાક વાયરસને ખતમ કરવા માટે અસરકારક છે. વધારે સંક્રમણના દર માટે વાયરસના મ્યૂટેશન જવાબદાર હોય છે. વૈજ્ઞાનિકો તરફથી એક શોધ કરવામાં આવી છે. જેમાં ફાઈજરે નવા સ્ટ્રેન પર પ્રભાવશાળી હોવાનુ જાણવા મળ્યું છે.
રસી લગાવનારા લોકોના લોહીની તપાસ કરવામાં આવી છે અને આ આધાર પર શોધ તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટનું કહેવું છે કે આ શોધનું નિષ્કર્ષ મર્યાદિત છે કેમ કે તે ઝડપથી ફેલનારા વાયરસ માટે વેરિએન્ટમાં જોવા મળતા મ્યૂટેશનમાં નથી જોવા મળતા.
કોરોનાના નવા સ્ટ્રેનમાં 17 ફેરફાર થયા છે
મનાઈ રહ્યું છે કે કોરોનાના નવા સ્ટ્રેનમાં 17 ફેરફાર થયા છે. આ સ્ટ્રેનને એટલા માટે પણ વધારે ખતરનાક મનાઈ રહ્યો છે. કેમ કે આ આઠ રુપે જેમાં પ્રોટીન વધારનારા છે જેમાંથી બે સૌથી વધારે ખતરનાક છે. પહેલા નવા સ્ટ્રેનનું N501Y રુપ, જેના કારણે વાયરસ શરીરના સેલ્સ પર હુમલો કરી શકે છે અને બીજો H69/V70 રુપ, જે શરીરના પ્રતિરોધી ક્ષમતાને નુકશાન પહોંચાડે છે.
આનાથી શરીરનુ પ્રતિરક્ષા તંત્ર કામ કરવાનું શરુ કરી દે છે
ફાઈજર રસી એમઆરએનએ રસી, નવા પ્રકારની રસી છે. જે વાયરસના જેનેટિક કોડના નાના ભાગને લઈને શરીરમાં કોરોનાની સામે લડતા શીખવે છે અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યૂનિટી બનાવે છે. એફડીએના જણાવ્યાનુંસાર જ્યારે કોઈ વ્યક્તિને રસી આપવામાં આવે છે તો તેના શરીરમાં કોરોના વાળા સ્પાઈક પ્રોટીન બને છે. પરંતુ આનાથી બિમારી નથી થતી. ન શરીરની કોશિકાઓને નુકશાન પહોંચે છે. આનાથી શરીરનુ પ્રતિરક્ષા તંત્ર કામ કરવાનું શરુ કરી દે છે અને કોરોના સામે લડવાનું શીખવે છે.