EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક ગુવાહાટીમાં થઇ શકે છે. બેઠકમાં પેન્શનની ન્યૂનતમ રાશિને વધારવી તથા પીએફ પર મળવાવાળા વ્યાજના દરો પર નિર્ણય થશે.
નોકરીયાતો માટે મોટી ખબર
પીએફ વ્યાજ પર થશે મોટો નિર્ણય
આટલું થઇ શકે છે પેન્શન
EPFO:ઈપીએફઓ મેમ્બર્સ નોકરીયાતો માટે મોટી ખબર છે. મીડિયા રિપોર્ટર્સ અનુસાર, આવતા મહીને, EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક ગુવાહાટીમાં થઇ શકે છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો પર વિચાર થશે. બેઠકનું મુખ્ય કારણ પેન્શનની ન્યૂનતમ રાશિને વધારવી તથા પીએફ પર મળવાવાળા વ્યાજના દરો પર નિર્ણય થશે.
EPFOની ફાઈનન્સ ઇન્વેસ્ટમેંટ તથા ઓડિટ કમિટીની બેઠક કાલે બુધવારે થશે. આ બેઠકમાં એપીએફઓની કમાણી પર વિચાર કરાશે કેમકે આના આધાર પર સીબીટીના વ્યાજ દરોની સીફારીશ થશે. ઉમ્મીદ છે કે આ મીટીંગમાં વ્યાજ દરો તથા ન્યૂનતમ પેન્શનને લઈને નિર્ણય થશે. CBTની અંતિમ બેઠક માર્ચમાં શ્રીનગરમાં થઇ હતી. CBTએ 2020-21 માટે સદસ્યોના ખાતામાં ઈપીએફ જમા રાશિ પર 8.5 ટકા વાર્ષિક વ્યાજ દર આપવાની સીફારીશ કરી હતી.
પીએફ વ્યાજ પર થશે મોટો નિર્ણય
માનવામાં આવી રહ્યું છે કે ઈપીએફમાં જમા રકમ પર 8.5 ટકાના હાજર વ્યાજ તેમ જ રહી શકે છે. મોજુદા વ્યાજમાં કોઈ બદલાવ થવાની સંભાવના ઓછી છે. હજુ પીએફ પર 8.5 ટકા દરથી વ્યાજ અપાઈ રહ્યું છે. આ પીએફ પર મળવાવાળું સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલા 2018-19 માં પીએફનો વ્યાજ દર 8.65 ટકા, સાલ 2016-17 માં 8.65 ટકા તથા સાલ 2017-18 માં આ દર 8.55 ટકા હતો.
આટલું થઇ શકે છે પેન્શન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યૂનીયનોએ મોજુદા ન્યૂનતમ પેન્શનને વધારીને 1,000 રૂપિયાથી 6,000 રૂપિયાના વધારાની માંગ કરી છે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી કે CBT આ વધારીને 3,000 રૂપિયા કરી શકે છે. ઈપીએફઓના પૈસાને પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દાઓ પર પણ નિર્ણય થઇ શકે છે. સીબીટી ન્યૂનતમ પેન્શનને વધારીને 3,000 રૂપિયા કરવાનો નિર્ણય કરી શકે છે. ટ્રેડ યૂનિયન પેન્શન વધારવાની માંગણી કરી રહ્યું છે.