બિહારમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા અહીં 1 લાખને પાર થઈ ચૂકી છે. જ્યારે મોતનો આંક પણ 500થી વધારે થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે રાજ્યમાં લોકડાઉનને વધારવું કે પૂર્ણ કરવું તેને લઈને આજે બિહાર સરકાર નિર્ણય કરશે. કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા લગાવેલા નિયમો 16 ઓગસ્ટના રોજ પૂરા થઈ ચૂક્યા છે. આ સમયે હવે લોકડાઉનમાં ઢીલ અપાશે કે નહીં, તેનો આદેશ સોમવારે એટલે કે આજે અપાશે. રાજ્ય સરકાર દ્વારા 30 જુલાઈએ 16 ઓગસ્ટ સુધીનો આદેશ આપવામાં આવ્યો હતો.
બિહારમાં લોકડાઉનને લઈને આજે લેવાશે નિર્ણય
16 ઓગસ્ટે પૂરું થઈ ચૂક્યું છે પહેલાંનું લોકડાઉન
લોકડાઉન પૂરું કરવું કે લંબાવવું તે અંગે લેવાશે નિર્ણય
આવી શકે છે ફેરફાર
ગૃહવિભાગની તરફથી મળતી માહિતીના આધારે લોકડાઉન સંબંધિત નવા આદેશ બિહાર સરકાર સોમવારે જાહેર કરશે. આ નિર્ણયમાં થોડા ફેરફાર જોવા મળી શકે છે. બિહારમાં 16 ઓગસ્ટ સુધી જાહેર કરાયેલા લોકડાઉનમાં ધાર્મિક સ્થળોને બંધ રખાયા હતા. સાથે ભીડવાળા ધાર્મિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક આયોજનો પર રોક લગાવવામાં આવી હતી. રાજ્યમાં બસ સેવાઓ પર પણ પાબંધી રાખવામાં આવી છે. શક્ય છે આ પ્રતિબંધોમાંથી થોડી રાહત મળે.
પહેલાંના લોકડાઉનમાં હતી આ છૂટ
કોરોનાના કારણે બિહારમાં સતત લોકડાઉનના આદેશમાં છૂટ અપાઈ છે. તેમાં વ્યવસાયિક અને ખાનગી પ્રતિષ્ઠાનોને ખોલવાની મંજૂરી છે. સાથે જ ઓફિસ કર્મચારીની સંખ્યામાં પણ 33થી 50 ટકાનો વધારો કરાયો છે. સરકારે કોરોના સંક્રમણને લઈને રાજ્યમાં પાર્ક, જિમ અને શિક્ષણ સંસ્થા પહેલાંથી જ બંધ રાખ્યા છે. સોમવારે એટલે કે આજે નવા આદેશ આપવામાં આવશે અને આશા છે કે લોકડાઉનમાં થોડી ઢીલ મળશે.
બિહારમાં કોરોનાની સંખ્યા 1 લાખને પાર
બિહારમાં કોરોનાના પહેલાં દર્દીને 22 માર્ચે સંક્રમણ આવ્યું હતું અને હવે આ આંક 1 લાખને પાર થયો છે. રાજ્યમાં કોરોનાથી 4093 મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાથી 22 દર્દીના મોત થયા છે અને સાથે ઘાતક વાયરસના કારણે 537 મોત થયા છે.