યુક્રેનમાંથી હજારો ભારતીયો ઉચાળા ભરી રહ્યા છે ત્યારે ગુજરાતના પાટણના ભાજપ નેતાનો પુત્ર રોમાનિયામાં સંપર્ક વિહોણો થતા પરિવાર અને પંથકમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
પાટણના ભાજપ નેતાનો પુત્ર સંપર્ક વિહોણો
રોમાનિયામાં ફસાયા બાદ નથી થયો સંપર્ક
સમગ્ર પરિવાર ચિંતિત,સંપર્ક અંગે વિમાસણ
યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ રીતે થઇ રહેલા યુદ્ધના મંડાણથી વિશ્વ ચિંતિત છે.હજારો નાગરીકોનાં જીવ તાળવે ચોંટી ગયા છે.ત્યારે, ભારતીયોને યુક્રેનનું કિવ ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પોલેન્ડ બોર્ડર પર પણ નાગરિકોનો ભારે જમાવડો છે ત્યારે ગુજરાતના પાટણના ભાજપ નેતાનો પુત્ર રોમાનિયામાં સંપર્ક વિહોણો થતા પરિવાર અને પંથકમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
પાટણ તાલુકા ભાજપ મહિલા પ્રમુખ આશા પટેલનો પુત્ર રોમાનીયામાં ફસાયો હોવાની માહિત મળી હતી. આ બાદ તેનો કોઈ જ સંપર્ક નથી થઇ રહ્યો.આ પરિણામે સમગ્ર પરિવાર ચિંતિત બન્યો છે. આશા બહેન પટેલના પરિવારની પૂછપરછ માટે પણ કોઈ ફરક્યું ના હોવાની હૈયા વરાળ ઠાલવી હતી. ચાણસ્માનાં કેસણી ગામના આશા પટેલનો પરિવાર પુત્રની ભાળ કેવી રીતે મેળવવી કે સંપર્ક થઇ શકે તેની વિમાસણ છે.
યુક્રેનની સ્થિતિ
રાજધાની કીવમાં બ્લાસ્ટ બાદ લોકો બંકર તરફ ભાગી રહ્યા છે. કીવના બ્રોવૈરી સોલેમૈંકામાં આ બ્લાસ્ટ થયા છે. યૂક્રેનના તમામ શહેરો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ રશિયન સેના રાજધાની કીવને નિશાન બનાવતા, તેના પર કબજો કરવાની કોશિશમાં છે. રશિયાની આક્રામકતાના વિરોધમાં દુનિયાભરના દેશ તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ રશિયાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તો એક બાદ એક રશિયા વિરૂદ્ધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ફુટબૉલ વર્લ્ડકપથી રશિયાને દૂર કરાયું. યૂક્રેન પર હુમલો કરવો ભારે પડ્યો છે.
તો બીજી તરફ યૂક્રેને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયાની મિસાઇલ હુમલામાં અનેક લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખાર્કિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર રશિયન ગ્રેડ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. ફેસબુક પર એક પોસ્ટ યૂક્રેનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા એન્ટોન ગેરાશચેંકોએ કહ્યું કે, ખાર્કિવ હાલમાં જ મોટા પ્રમાણમાં ગ્રેડ રોકેટ હુમલાની ઝપેટમાં આવ્યું છે. આ હુમલામાં મોટા પ્રમાણમાં લોકો માર્યા ગયા અને અનેક ઇજાગ્રસ્ત થયા છે.
ભારત વધુ સક્રિય બન્યું
આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે, પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટિવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેબિનેટના ચાર મંત્રીઓએ મોર્ચો સંભાળ્યો છે. એર ઈંડિયાની ફ્લાઈટ યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઈટ ઉડી રહી છે. હવે ઈંડિગો, એર ઈંડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ પણ ઓપરેશન ગંગામાં શામેલ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી, રોમાનિયા અને પોલેન્ડના રસ્તેથી ફ્લાઈટ મોકલીને મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ યુક્રેન સંકટ દરમિયાન ઓપરેશન ગંગા કેવી રીતે દુનિયાનું સૌથી મોટું બચાવ અભિયાન બની ચુક્યું છે.