સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધી સંકલ્પની સાથે રાજ્યના પુનર્ગઠન બિલ અને આરક્ષણ સંશોધન બિલ રજૂ કર્યું જેને સદનમાં મંજૂરી મળી ગઇ છે.
મંગળવારે 11 વાગ્યા શરૂ થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, પુનર્ગઠન બિલ પર થયેલ મતદાનના પક્ષમાં 125 અને વિપક્ષમાં 61 મત પડ્યા. આ વિષય પર દિવસભર વિપક્ષે ભારે હોબાળો પણ કર્યો. હવે લોકસભામાં મંગળવારે આ બિલ અને સંકલ્પ પર ચર્ચા થશે. આ સાથે જ મંગળવારે 11 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પાસ
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરવામાં આવ્યું છે. બિલના પક્ષમાં 125 મત અને 61 મત વિપક્ષમાં પડ્યા છે જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા. આ બિલમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું પ્રાવધાન સામેલ છે.
માયાવતીની પાર્ટીના સપોર્ટનો અમિત શાહે કર્યો ઉલ્લેખ
અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરની દીકરીએ ઓડિસાવાદીથી લગ્ન કરી દીધા તો શું તેને અને તેમના બાળકો ત્યાં કોઇ અધિકાર મળવાનો છે. તેમણે કહ્યું કે, ઓબીસીને અનામત નથી મળતું, દલિતો, આદિવાસીઓને રાજકીય અનામત નથી મળતું, એજ કારણ છે કે માયાવતીજીની પાર્ટીએ આ બિલનું સમર્થન કર્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે કેટલીક પાર્ટી એનજીઓ બ્રિગેડથી આ બિલને કોર્ટમાં પડકાર આપીશું, પરંતુ કોઇ પણ લીગલ તપાસથી આ બિલને કંઇ નથી થવાનું.
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર આરક્ષણ બિલ પાસ
રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર અનામત બિલ ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું છે. અમિત શાહ તરફથી લેવામાં આવેલ સંકલ્પ પર સદનમાં મત લેવામાં આવ્યો. કોંગ્રેસના પી ચિદંબરમે અમિત શાહને કહ્યું કે તમે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ શા માટે બનાવી રહ્યા છો. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બનાવતા સમયે એક વર્ષ સુધી 20થી વધુ બેઠક કરી અને સહમતિ બાદ નિર્ણય લેવાયો હતો.