ટીવી જગતમાં TRP ગોટાળાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે સોશ્યલ મીડિયામાં પારલેના એક નિર્ણયની ખૂબ ચર્ચા થઇ રહી છે. પારલેએ આજે વિજ્ઞાપન મુદ્દે મોટો નિર્ણય લીધો છે.
TRP ગોટાળા વચ્ચે પારલે જી બિસ્કીટ બનાવતી કંપનીએ લીધો નિર્ણય
ઝેરીલું કન્ટેન્ટ દર્શાવતી ચેનલ સામે કંપનીઓએ શરુ કરી 'એડબંધી'
બજાજના માલિકે પહેલા જ ત્રણ ચેનલને કરી છે બ્લેકલિસ્ટ
મુંબઈ પોલીસે કર્યો હતો TRP ગોટાળાનો ખુલાસો
હાલમાં ટીવી જગતમાં TRP ગોટાળાની ગૂંજ છે અને તેની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ કૌભાંડનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યા બાદ હવે કંપનીઓ એડ આપવા મામલે કેટલીક ચેનલને લઇને સતર્ક થઇ ગઈ છે. વિજ્ઞાપન આપતી કંપનીઓમાં તે વાતને લઈને માથાકૂટ કરવામાં આવી રહી છે કે આવા ચેનલના વિજ્ઞાપનમાં કાપ મૂકવામાં આવે.
પારલેએ વિજ્ઞાપન ન આપવા લીધો નિર્ણય
કેટલીક કંપનીએ નિર્ણય લઇ લીધો છે કે તે એવી ચેનલને વિજ્ઞાપન નહીં આપે જે નફરતને પ્રોત્સાહન આપે છે. થોડા દિવસ પહેલા જ બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે ત્રણ ચેનલને બ્લેકલિસ્ટ કરી દીધા હતા. હવે પારલે પણ કહી રહ્યું છે કે તે અમુક ચેનલમાં પોતાના ખર્ચને ઓછા કરવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણયનો સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા થઇ રહી છે અને ટ્વિટરમાં પારલે ટ્રેન્ડ કરી રહ્યું છે.
સોશ્યલ મીડિયામાં વાહ વાહ
પારલે-જી બિસ્કીટના સિનીયર હેડ કૃશ્નારાવ બુદ્ધે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ઝેરીલું કન્ટેન્ટ પ્રસારિત કરતી ચેનલને વિજ્ઞાપન આપવામાં આવશે નહીં. તેમણે સ્વીકાર્યું કે અન્ય વિજ્ઞાપનદાતા સાથે પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર પારલે પ્રોડક્ટ્સ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને ખૂબ વધાવવામાં આવી રહ્યો છે. લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ હવે ચેનલો આવા કન્ટેન્ટ બંધ કરશે. ઘણા બધા લોકો આ નિર્ણય બાદ વિવિધ મિમ બનાવી રહ્યા છે અને પારલેનો આભાર માની રહ્યા છે.
Parle Products has decided not to advertise on news channels that broadcast toxic aggressive content.
These channels are not the kinds that the company wants to put money into as it does not favour its target consumer.
Parle G has decided not to advertise their product on news channels that broadcast aggressive news material.. Good job #ParleGpic.twitter.com/PFWw9fUCy3