પરિવર્તિની એકાદશી 6 સપ્ટેમ્બર 2022ના રોજ છે. માન્યતા છે કથાનુ શ્રવણ કર્યા વગર એકાદશીનુ વ્રત પુરૂ મનાતુ નથી. આવો જાણીએ પરિવર્તિની એકાદશી વ્રતની કથા.
પરિવર્તિની એકાદશી વ્રત પાપ કર્મોમાંથી અપાવે છે મુક્તિ
ભગવાન વિષ્ણુના વામન અવતારની કરાય છે પૂજા
કથાનુ શ્રવણ કર્યા વગર એકાદશીનુ વ્રત પુરૂ મનાતુ નથી
પરિવર્તિની એકાદશી પર વ્રત રાખીને ભગવાન વિષ્ણુની કરો આરાધના
માન્યતા છે કે પરિવર્તિની એકાદશી પર વ્રત રાખીને ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવાથી ઘરમાં ઉત્સાહ આવે છે. તણાવમાંથી મુક્તિ મળે છે. જાણે-અજાણે થયેલા પાપ બળી જાય છે. અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે. આ સમયે ભગવાન વિષ્ણુ ક્ષીર નિંદ્રામાં રહે છે અને પરિવર્તિની એકાદશી પર શયન દરમ્યાન પડખુ બદલે છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની વિશેષ પૂજા બાદ કથા વાંચવાનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે, કથાનુુ શ્રવણ કર્યા વગર વ્રતને પુરૂ મનાતુ નથી.
પરિવર્તિની એકાદશીને જલઝૂલણી એકાદશી, પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીના વ્રતની કથા ભગવાન કૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને જણાવી હતી. શ્રીકૃષ્ણએ કહ્યું હતુ કે આ કથાને માત્ર વાંચવાથી વ્યક્તિના પાપ પળભરમાં બળી જાય છે. કથા મુજબ ત્રેતાયુગમાં દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. ઈન્દ્ર સાથે વેરને કારણે રાજા બલિએ ઈન્દ્રલોકમાં આક્રમણ કરી પોતાનુ આધિપત્ય સ્થાપિત કરી દીધુ હતુ. તેથી બધા દેવી-દેવતાઓ તેના અત્યાચારથી ડરેલા હતા.
વામન દેવે માંગી હતી બલિ પાસે ત્રણ પગલા ભૂ્મિ
ઈન્દ્ર સહિત બધા દેવોએ રાજા બલિના ભયમાંથી મુક્તિ માટે ભગવાન વિષ્ણુુ પાસેથી મદદની ગુહાર લગાવી. ભગવાન વિષ્ણુએ દેવોને બલિના ડરમાંથી છૂટકારો અપાવવાનુ આશ્વાસન આપતા વામન અવતાર લીધો અને પછી દૈત્યરાજ બલિની પાસે પહોંચી ગયા. અહીં તેમણે બલિ પાસે ત્રણ પગલા ભૂમિ દાનમાં માંગી. બલિએ વામન દેવને ત્રણ પગલા ભૂમિ આપવાનુ વચન આપ્યું.