કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપો સાથે કહ્યું કે, ભાજપના શાસકો પોલીસને પટ્ટાવાળા સમજી વિપક્ષને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
પોલીસ હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ
રાજકોટ પોલીસ કમિશનરને કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચી
પરેશ ધાનાણી સહિતના નેતાઓ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા
રાજકોટમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ કરાયો છે. પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે. જેની રજૂઆત લઈ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસના નેતાઓ સાથે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. રજૂઆત કરવા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ પણ પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપાના છેલ્લા 25 વર્ષના નિષ્ફળ શાસનના કારણે લોકોના દરબારમાં જતાં ડરી રહ્યા છે. ત્યારે ભાજપના શાસકો પોલીસને પટ્ટાવાળા સમજી વિપક્ષને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
લોકશાહીનું રક્ષણ કરવાની જેમની જવાબદારી છે. તેમાંથી કેટલાક લોકો ખાખીને લજવી રહ્યા છે. અમુક ખાખીધારી કમલમના કાર્યાલયથી પગાર લેતા હોય તેમ, કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનું અને ધમકાવવાનું, પોલીસના દંડે પીટવાનું, ખોટા કેસ કરાવવાનું અને જેલમાં પૂરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. કેટલાક લોકોના કારણે પોલીસની આબરૂ ખરડાઈ છે.