નાણા મંત્રાલય હેઠળના સીબીડીટીએ 20 લાખથી વધારે રકમના જમા અને ઉપાડ માટે આધાર અને પાન ફરજિયાત કર્યાં છે.
20 લાખથી વધારે રકમના જમા અને ઉપાડ માટે આધાર અને પાન ફરજિયાત
બેંક કે પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ કે કેશ ક્રેડિટ એકાઉન્ટ પણ ખોલાવવું પડશે
સીબીડીટીએ નોટિફિકેશન બહાર પાડ્યું
સરકારે ચાલુ ખાતું ખોલાવવા સાથે જ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા કે ઉપાડવા માટે આધાર અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફરજિયાત કરી દીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષમાં બેન્કો પાસેથી મોટી રકમની લેવડદેવડ કરવા માટે પાન નંબરની માહિતી અથવા આધારનું બાયોમેટ્રિક વેરિફિકેશન આપવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત બેંક કે પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ કે કેશ ક્રેડિટ એકાઉન્ટ પણ ખોલાવવું જરૂરી રહેશે.
પાન અને આધાર વગર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે સરકારનું નોટિફિકેશન
પાન અને આધાર વગર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે સરકારે એક નોટિફિકેશન જારી કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઈન્કમ ટેક્સ રુલ્સ 2022 નામના નવા નિયમો બનાવ્યાં છે. નવા નિયમ પ્રમાણે, નીચેના ટ્રાન્ઝેક્શન માટે પાન અને આધાર ફરજિયાત છે.
આ ત્રણ નિયમ
(1) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ જમા કરાવનાર લોકોએ ફરજિયાત આધાર અને પાન કાર્ડ આપવું પડશે.
(2) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ ઉપાડનાર લોકોએ પણ આધાર અને પાન આપવું પડશે.
(3) કોઈ બેન્કિંગ કંપની, કો-ઓપરેટીવ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈ વ્યક્તિ દ્વારા કેશ ક્રેડિટ એકાઉન્ટ તો કરન્ટ એકાઉન્ટ ખોલાવવું.
શું છે નિયમ?
નિયમ મુજબ જો કોઇ વ્યક્તિને પાનની જાણકારી આપવાની જરૂર હોય, પરંતુ તેની પાસે પાન ન હોય તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે.