છોડ તથા વૃક્ષોમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આવું જ એક પલાશનું વૃક્ષ છે. જાણો પલાશનું વૃક્ષ વાવવાથી ક્યા ક્યા ફાયદાઓ થાય છે
પલાશના ફૂલનું છે જ્યોતિષમાં ખાસ મહત્વ
પલાશમાં હોય છે ત્રિદેવ નિવાસ
સુખ-સમૃદ્ધિ વધે છે
પલાશના ફૂલોનું મહત્વ
છોડ તથા વૃક્ષોમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે, એટલા માટે અમુક ખાસ વૃક્ષોને ઘર પાસે વાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, છોડ તથા વૃક્ષો ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ કરે છે, જેથી ઘર-પરિવાર ખુશહાલ રહે છે. આવું જ એક પલાશનું વૃક્ષ પણ છે. માન્યતા છે કે આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણે દેવતાઓનો વાસ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વૃક્ષના ફૂલ ઘરમાં રાખવાથી ધનની અછત નથી થતી. સાથે જ માં લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. આવો જાણીએ પલાશ ફૂલના ચમત્કારી ઉપાયો
પલાશ ફૂલના ઉપાયો
ધનમાં વૃદ્ધિ તથા ખુશહાલી માટે પલાશ ફૂલના ઉપાયોને ખાસ માનવામાં આવે છે. જો ધન સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે એક પલાશનું ફૂલ તથા એકાક્ષી નારીયળ લો. જો પલાશનું તાજું ફૂલ મળે તો સુકા ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો . પલાશના ફૂલ તથા એકાક્ષી નારીયળને એક સફેદ કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાના સ્થાન પર રાખી દો.
આ બાબતોનું રાખો ધ્યાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે નક્ષત્રમાં જાતકનો જન્મ થયો છે, તેને સંબંધિત છોડ તથા વૃક્ષો અથવા જડી બુટીઓનો ઉપયોગ ન કરવો જોઇએ. આવામાં જે લોકોનો જન્મ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થયો હોય તેમણે શુક્રવારના દિવસે પલાશના વૃક્ષને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ. સાથે જ તેની લાકડીઓ, ફૂલો તથા તેનાથી બનેલ કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. અ સિવાય અન્ય નક્ષત્રમાં જન્મેલ લોકોએ શુક્રવારના દિવસે પલાશના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કેમકે આવું કરવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
આમ અમુક બાબતોને ધ્યાનમાં રાખીને જો પલાશનું ફૂલ ઘરમાં તિજોરી કે પૈસાના સ્થાને રાખવામાં આવે તો અવશ્ય આર્થિક લાભ થાય છે.